મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં હળવદના ડુંગરપુર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા નેગેટિવ બ્લડની તાત્કાલિક વ્યવસ્થા કરાઈ


SHARE













મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા નેગેટિવ બ્લડની તાત્કાલિક વ્યવસ્થા કરાઈ

મોરબીમાં બ્લડની ઈમરજન્સી એટલે યુવા આર્મીથી ઓળખાતા યુવા આર્મી ગ્રુપ દ્વારા નેગેટિવ બ્લડની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી હતી મોટાભાગના લોકો જાણતા હશે કે નેગેટિવ બ્લડ ગ્રુપ મળવુ‌ ખૂબ જ જટિલ હોય છે અને મર્યાદિત લોકો નેગેટિવ બ્લડ ગ્રુપ ધરાવતા હોય છે અને તેમાંથી પણ લિમિટેડ લોકો જ બ્લડ ડોનેશન કરવા માટે સક્ષમ હોય છે ત્યારે કોઈવાર આવા નેગેટિવ બ્લડની જરૂરીયાત ઉભી થય જતા ઓપરેશન અટકી પડે છે અને દર્દીઓથી લઈને ડોક્ટર પણ મુશ્કેલીમાં મુકાઇ જાય છે પરંતુ મોરબીમાં ૨૦૧૮ થી યુવા આર્મી ગ્રુપ પોતાના હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન ના ધ્યેય સાથે કાર્યરત છે અને દિવસ હોય કે રાત લોકોની ઈમરજન્સી બ્લડ ની જરૂરીયાત પુરી પાડવા ખડેપગે રહે છે અને હજારો લોકો ને રક્તદાન રૂપી જીવનદાન આપી ચુક્યુ છે આવી રીતે જ મોરબીની આયુષ તથા રાધેક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીઓ માટે બી નેગેટિવ બ્લડની તાત્કાલિક જરૂરીયાત ઉભી થઇ ગઈ હતી જેની‌ જાણ બ્લડ બેંક દ્વારા યુવા આર્મી ગ્રુપને કરવામાં આવતા યુવા આર્મી ગ્રુપના સભ્યો દ્વારા તાત્કાલિક બી નેગેટિવ બ્લડની ૫ બોટલ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી જે બદલ દર્દીના પરિજનો દ્વારા યુવા આર્મી ગ્રુપ નો‌ આભાર વ્યક્ત કર્યો હતો અને આ મહિનામાં યુવા આર્મી ગ્રુપ દ્વારા મોરબીમાં સારવાર માટે આવેલા દર્દીઓ માટે એ(૩), બી (૮), ઓ(૪), એબી(૩) મળીને ૧૮ બોટલ નેગેટિવ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ સેવાની કોઈને પણ જરૂર હોય તો ૨૪ કલાકમાં ગમે ત્યારે હેલ્પલાઈન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર સંપર્ક કરવા પિયુષભાઈ બોપલીયાએ જણાવ્યુ છે






Latest News