મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા નેગેટિવ બ્લડની તાત્કાલિક વ્યવસ્થા કરાઈ
વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલમાં ગળાફાંસો ખાઈ લેનાર પરિણીતાનું સારવારમાં મોત
SHARE
વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલમાં ગળાફાંસો ખાઈ લેનાર પરિણીતાનું સારવારમાં મોત
વાંકાનેરમાં આવેલ પીર મશાયખ હોસ્પિટલની અંદર રહેતી પરિણીતાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી અને સારવાર દરમ્યાન તે પરણિતાનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ પીર મશાયખ હોસ્પિટલની અંદર રહેતી જાનકીબેન રજનીભાઈ વોરા (ઉંમર ૩૩) નામની પરિણીતાએ પોતાના ઘરની અંદર પોતાની જાતે ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેને રાજકોટની ગોકુલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન ત્યાંના ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા આપઘાતના આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે પરિણીતાના આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હતા ધરી હતી