મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલમાં ગળાફાંસો ખાઈ લેનાર પરિણીતાનું સારવારમાં મોત


SHARE







વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલમાં ગળાફાંસો ખાઈ લેનાર પરિણીતાનું સારવારમાં મોત

વાંકાનેરમાં આવેલ પીર મશાયખ હોસ્પિટલની અંદર રહેતી પરિણીતાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી અને સારવાર દરમ્યાન તે પરણિતાનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ પીર મશાયખ હોસ્પિટલની અંદર રહેતી જાનકીબેન રજનીભાઈ વોરા (ઉંમર ૩૩) નામની પરિણીતાએ પોતાના ઘરની અંદર પોતાની જાતે ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેને રાજકોટની ગોકુલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન ત્યાંના ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા આપઘાતના આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે પરિણીતાના આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હતા ધરી હતી






Latest News