રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

આરોગ્યની સલામતી સાથે આયુર્વેદિક અને હર્બલ રંગોથી મોરબીમાં ધૂળેટી રમવા લોકો સજ્જ


SHARE









આરોગ્યની સલામતી સાથે આયુર્વેદિક અને હર્બલ રંગોથી મોરબીમાં ધૂળેટી રમવા લોકો સજ્જ

હોળી ધુળેટીના પવિત્ર તહેવારની ઉજવણી કરવા માટે આબાલ વૃદ્ધ સહુ કોઈ આ તહેવારની રાહ જોતાં હોય છે અને ધૂળેટીના દિવસે એકમેકને પોતાના રંગમાં રંગતા હોય છે ત્યારે આગામી ધૂળેટીને લઈને મોરબીમાં લોકો પોતાના અને અન્યના સ્વાસ્થ્યને લઈને જાગૃત થયા છે અને કેમિકલયુક્ત રંગોથી ધૂળેટી રમવાના બદલે આયુર્વેદિક અને હર્બલ રંગોથી ધૂળેટી રમવાનું નક્કી કર્યું છે જેથી કરીને વેપારીઓ પાસેથી હાલમાં લોકો દ્વારા આયુર્વેદિક અને હર્બલ રંગોની ખરીદી કરવામાં આવી રહી છે

ફાગણ સુદ પૂનમ એટલે હોળીનો દિવસ હોળીનું દહન અને પવિત્રતાથી ભરેલા આ તહેવારનો બીજો દિવસ એટલે ધૂળેટી કે જેની સમગ્ર દેશની લોકો દ્વારા ઉજવણી કરવામાં આવે છે ત્યારે રંગોના આ તહેવારની મોરબીવાસીઓ પણ હર્ષોલ્લાસ સાથે દર વર્ષે ઉજવણી કરે છે જો કે, છેલ્લા બે વર્ષથી કોરોનાના લીધે રંગોના તહેવારની ઉજવણી ફિકિ પડી ગઈ હતી અને આ વર્ષે આબાલ વૃદ્ધ સહિતના સહુ કોઈ એકમેકને પોતાના રંગમાં રંગવા માટે થનગની રહ્યા છે જો કે, કેટલાક વર્ષોથી ધુળેટીના તહેવાર પર કેસુડા, અબીલ-ગુલાલની જગ્યાએ કેમિકલયુક્ત હાનીકારક રંગો અને મટોડી લઇને લોકો ધૂળેટીએ રંગે રમે છે પછી માણસોને ચામડીમાં બળતર, વાળમાં નુકશાન, આંખોને નુકશાન અને અન્ય શરરિક તકલીફો થાય છે

આટલું જ નહીં આવા રંગો માનવી ઉપરાંત પશુ પક્ષીઓ, વૃક્ષો અને સમગ્ર વાતાવરણને નુકશાન પહોચાડે છે જેની અસર ધૂળેટી પછી પણ ઘણા દિવસો સુધી રહે છે જેથી આ નુકશાનીથી બચવા અને ધૂળેટીનો તહેવાર રંગોથી જ મનાવવા માટે હવે લોકો જાગૃત બન્યા છે અને આયુર્વેદિક અને હર્બલ રંગોથી ધૂળેટી રમવાનું નક્કી કરતાં જોવા મળે છે અને વેપારીઓ પાસે લોકો દ્વારા આયુર્વેદિક અને હર્બલ રંગો માંગવામાં આવે છે ત્યારે મોરબીમાં આવેલ રિધ્ધિ સિઝન સ્ટોર વાળા દીપકભાઈ પોપટ સાથે વાત કેટ તેમણે કહ્યું હતું કે, કોરોનાના બે વર્ષ દરમ્યાન લોકો ધૂળેટી રમી શક્યા ન હતા જેથી કરીને આ વર્ષે મન ભરીને ધૂળેટી લોકો રમવાના છે અને ખાસ કરીને લોકોના આરોગ્યને નુકશાન ન થાય તે માટે મોરબીના વેપારીઓ પણ હવે કેમિકલયુક્ત અને મટોડીના રંગોનું મોરબીમાં વેચાણ કરતાં નથી આ વર્ષે આયુર્વેદિક અને હર્બલ રંગોના ભાવમાં સરેરાશ ૧૫ થી ૨૦ ટકાનો વધારો આવેલ છે તો પણ માર્કેટ શરૂ છે






Latest News