મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

હળવદના ઈશ્વરનગર ગામે ડિલેવરી બાદ બ્લીડીંગ થવાથી મહિલાનું મોત


SHARE













હળવદના ઈશ્વરનગર ગામે ડિલેવરી બાદ બ્લીડીંગ થવાથી મહિલાનું મોત

મોરબીના હળવદ તાલુકામાં આવેલા ઈશ્વરનગર ગામે વાડી વિસ્તારમાં આદિવાસી મહિલાને ડીલેવરી થઈ હતી અને મોડી રાત્રીના ડિલેવરી થયા બાદ મહિલાને બ્લીડીંગ થવા લાગતાં તેણીને પ્રથમ હળવદ અને બાદમાં વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવતી હતી તે દરમિયાન મહીલાએ રસ્તામાં જ દમ તોડી દીધો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે વાડી વિસ્તારમાં રહેતા રાધીબેન સુમાભાઈ નાયક નામની ૨૫ વર્ષીય મહિલાને મોડીરાત્રીના ડિલેવરી થઈ હતી અને ડિલેવરી બાદ મહિલાને વધુ પડતું બ્લીડીંગ થઈ જવાથી તેણીને હળવદ ખાતે સારવારમાં લઈ જવામાં આવી હતી જોકે તેણીને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી લઇ જવાનું કહેવામાં આવતા મોરબી લાવતા સમયે રસ્તામાં જ રાધીબેન નાયક નામની મહિલાએ દમ તોડી દીધો હતો.હાલ બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના એ.પી.જાડેજાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે હળવદ પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.

મજુર યુવાન સારવારમાં

મોરબી તાલુકાના રાજપર ગામે આવેલ એરિકા એલ્યુમિનિયમ પેનલના કારખાનામાં કામ દરમ્યાન દબાઈ જવાથી સંજય ભરતભાઈ વાસીલા નામના ૨૮ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે રહેતા લીલાબેન હકુભાઈ પંચાસરા નામની ૪૭ વર્ષીય મહિલા મકનસર ગામે આવેલ શક્તિ માતાના મંદિર નજીક અકસ્માતે પડી જતાં તેઓને ઇજાઓ થતાં સારવાર માટે મોરબી લવાયા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતો રાકેશ પાંચાભાઇ ડાભી નામનો ૩૬ વર્ષીય યુવાન વાંકાનેર હાઇવે ઉપરના લાલપર ગામ પાસેથી બાઇક લઇને જતો હતો ત્યાં રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રત રાકેશ ડાભીને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના કુબેરનગર વિસ્તારમાં રહેતાં સતુષ સુરેન્દ્રસિંહ નામના ૪૨ વર્ષીય યુવાને ઘુંટુ રોડ ઉપર આવેલ આઇમાતા હોટલ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો બનાવની જાણ થતાં હાલમાં તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણીએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.




Latest News