મોરબીમાં શહિદ દિને નીલકંઠ વિદ્યાલય દ્વારા શહીદ સ્મૃતિ રેલી યોજાશે
SHARE
મોરબીમાં શહિદ દિને નીલકંઠ વિદ્યાલય દ્વારા શહીદ સ્મૃતિ રેલી યોજાશે
મોરબીમાં આવેલ નીલકંઠ વિદ્યાલય દ્વારા શહીદ સ્મૃતિ રેલી આયોજન કરવામાં આવ્યું છે અને નીલકંઠ વિદ્યાલયના ધો.૫ થી ૧૧ ના વિદ્યાર્થીઓ આપણા ભારત દેશની આઝાદીમાં મહામૂલ્ય ફાળો આપનાર ૭૫ જેટલા ક્રાંતિકારીઓની વેશભૂષામાં જોવા મળશે અને તેમની દેશ પ્રત્યેની નિષ્ઠા,ત્યાગ તેમજ તેમણે આપેલ અમૂલ્ય કુરબાનીની મોરબીના લોકો ને સ્મૃતિ અપાવશે. આ રેલીમાં ૨૦૦ વિદ્યાર્થીઓ આર્મી યુનિફોર્મમાં પરેડ કરશે, ૫૦ વિદ્યાર્થીઓ નેવી અને ૫૦ વિદ્યાર્થીઓ એર ફોર્સના યુનિફોર્મમાં પરેડ કરશે, મોરબીના એક્સ આર્મી ઓફિસર અને ક્રાંતિકારી સેના પણ રેલીમાં જોડાશે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. આ રેલીમાં નીલકંઠ વિદ્યાલયના ૭૫૦ વિદ્યાર્થીઓ જોડાશે અને પરેડ કરશે અને રેલીની શરૂઆત સવારે ૮:૩૦ કલાકે નીલકંઠ વિધાલયથી કરવામાં આવશે. તેવું જીતુભાઈ વડસોલાએ જણાવ્યુ છે









