મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વજનની પુણ્યતિથિ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં ફ્રીજ ભેટમાં આપતો હાંસલપરા પરિવાર


SHARE







મોરબીમાં સ્વજનની પુણ્યતિથિ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં ફ્રીજ ભેટમાં આપતો હાંસલપરા પરિવાર

જ્યારે પણ ઘરના કોઈ સ્વજનનું અવસાન થાય છે ત્યારે જેતે પરિવાર દ્વારા યથાશકિત સદગતની પાછળ કોઈને કોઈ રીતે સતકર્મો કરવામાં આવતા હોય છે.ત્યારે મોરબીના બંધુનગર ગામના હાંસલપરા પરિવાર દ્વારા સદગતની પાછળ સેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. તેમના પરિવારના વૃદ્ધાની પુણ્યતિથિ નિમિત્તે મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ વૃદ્ધાશ્રમમાં ફ્રીજ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતુ.

સ્વ.જીજીબેન ભાણજીભાઈ હાંસલપરાંના સ્મરાણર્થે તેમના પરિવારજનો દ્વારા રેફરિજરેટરનું વૃધ્ધાશ્રમમાં દાન કરવામાં આવ્યુ હતુ.સ્વ.જીજીબેન ભાણજીભાઈ હાંસલપરાંની પુણ્યતીથી નીમીતે મનસુખભાઈ ભાણજીભાઈ હાંસલપરાં (બંધુનગરવાળા) તથા પરિવાર દ્વારા ૨પર લિટરનું રેફ્રિજરેટર મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ સ્થિત વૃદ્ધાશ્રમમાંં ભેટ સ્વરૂપે આપવામાં આવ્યુ હતુ.






Latest News