મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં શહીદ દિન નિમિતે એબીવીપીના આયામ સ્ટુડન્ટ ફોર સેવા દ્વારા યોજાશે બ્લડ ડોનેશન કેમ્પ


SHARE















મોરબીમાં શહીદ દિન નિમિતે એબીવીપીના આયામ સ્ટુડન્ટ ફોર સેવા દ્વારા યોજાશે બ્લડ ડોનેશન કેમ્પ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ ૧૯૪૯ થી વિદ્યાર્થીહિત તેમજ રાષ્ટ્રહિત માટે કાર્યરત વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે.વિદ્યાર્થી પરિષદએ માત્ર શિક્ષણ જગત પુરતુ સીમિત નથી પરંતુ વિધાર્થીઓ પણ સમાજને કેવી રીતે મદદરૂપ થઈ શકે તેવી ભાવના સાથે કોરોના જેવી મહામારીમાં પણ તંત્ર અને સમાજ સાથે ખડે પગે ઉભુ રહ્યુ હતુ.તે જ રીતે એબીવીપીના સ્ટુડન્ટ ફોર સેવાના આયામ અંતર્ગત આગામી ૨૩ માર્ચ એટલે કે શહીદ દિન નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયેલ છે.

તા.૨૩-૩ ના રોજ આ કેમ્પ સંસ્કાર બ્લડ બેંક ખાતે સવારે નવ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી યોજાશે.રક્તદાતાઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે.વિદ્યાર્થીમિત્રો તેમજ સર્વે નાગરિકો આ કેમ્પમાં જોડાય તેવી એબીવીપી પરિવારે અપિલ કરેલ છે.તદ ઉપરાંત આગામી સમયમાં કોલેજ કેમ્પસોમાં બ્લડ ડિરેક્ટરીની રચના પણ કરાશે.આ કાર્યક્રમના ઇન્ચાર્જ શક્તિસિંહ ઝાલા નગર સંયોજક(મો.૯૬૮૭૫ ૩૫૯૩૯) તેમજ રાજદીપસિંહ જાડેજા નગર હોસ્ટેલ સંયોજક (મો.૮૨૩૮૩ ૧૫૬૦૦) હોય વધુ માહિતી માટે તેમનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News