મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં શહીદ દિન નિમિતે એબીવીપીના આયામ સ્ટુડન્ટ ફોર સેવા દ્વારા યોજાશે બ્લડ ડોનેશન કેમ્પ


SHARE











મોરબીમાં શહીદ દિન નિમિતે એબીવીપીના આયામ સ્ટુડન્ટ ફોર સેવા દ્વારા યોજાશે બ્લડ ડોનેશન કેમ્પ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ ૧૯૪૯ થી વિદ્યાર્થીહિત તેમજ રાષ્ટ્રહિત માટે કાર્યરત વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે.વિદ્યાર્થી પરિષદએ માત્ર શિક્ષણ જગત પુરતુ સીમિત નથી પરંતુ વિધાર્થીઓ પણ સમાજને કેવી રીતે મદદરૂપ થઈ શકે તેવી ભાવના સાથે કોરોના જેવી મહામારીમાં પણ તંત્ર અને સમાજ સાથે ખડે પગે ઉભુ રહ્યુ હતુ.તે જ રીતે એબીવીપીના સ્ટુડન્ટ ફોર સેવાના આયામ અંતર્ગત આગામી ૨૩ માર્ચ એટલે કે શહીદ દિન નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયેલ છે.

તા.૨૩-૩ ના રોજ આ કેમ્પ સંસ્કાર બ્લડ બેંક ખાતે સવારે નવ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી યોજાશે.રક્તદાતાઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે.વિદ્યાર્થીમિત્રો તેમજ સર્વે નાગરિકો આ કેમ્પમાં જોડાય તેવી એબીવીપી પરિવારે અપિલ કરેલ છે.તદ ઉપરાંત આગામી સમયમાં કોલેજ કેમ્પસોમાં બ્લડ ડિરેક્ટરીની રચના પણ કરાશે.આ કાર્યક્રમના ઇન્ચાર્જ શક્તિસિંહ ઝાલા નગર સંયોજક(મો.૯૬૮૭૫ ૩૫૯૩૯) તેમજ રાજદીપસિંહ જાડેજા નગર હોસ્ટેલ સંયોજક (મો.૮૨૩૮૩ ૧૫૬૦૦) હોય વધુ માહિતી માટે તેમનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News