મોરબીમાં શહીદ દિન નિમિતે એબીવીપીના આયામ સ્ટુડન્ટ ફોર સેવા દ્વારા યોજાશે બ્લડ ડોનેશન કેમ્પ
ગાંધીનગરમાં શિક્ષણમંત્રી સાથે મહાસંઘના હોદેદારોની મુલાકાત કરાવી આપતા બ્રિજેશ મેરજા
SHARE
ગાંધીનગરમાં શિક્ષણમંત્રી સાથે મહાસંઘના હોદેદારોની મુલાકાત કરાવી આપતા બ્રિજેશ મેરજા
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગિની સંસ્થા જે રાષ્ટ્રવાદી વિચારધારા સાથે રાષ્ટ્ર હિત, શિક્ષકહિત અને છાત્રહીત માટે કાર્યરત સંગઠન છે.આ સંગઠનના કાર્યકર્તાઓ શિક્ષકો માટેના પ્રશ્નો, સમાજહિતના કાર્યક્રમ માટે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘણી સાથે મુલાકાત માટે ગયા હતા.જેમા દિનેશભાઈ વડસોલા (અધ્યક્ષ), હિતેશભાઈ ગોપાણી (સૌરાષ્ટ્ર સંભાગ સહસંગઠન મંત્રી), હરદેવભાઈ કાનગડ, કિરીટભાઈ દેકાવડીયા (ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ) સહીતની ટિમ ગાંધીનગર પહોંચી હતી.જોકે ત્યાં વિધાનસભાનું સત્ર ચાલુ હોવા છતાં પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સૌને સ્નેહપૂર્વક આવકાર્યા હતા અને શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી સાથે મુલાકાત કરાવી આપી હતી.તેમજ શૈક્ષણિક તેમજ આગામી કાર્યક્રમો વિશે ચર્ચાઓ પણ કરી હતી.આમ ફરી એકવાર બ્રિજેશભાઈ મેરજાએ મોરબી જિલ્લા પ્રત્યેનો પોતાના સ્નેહ અને પ્રજાવત્સલતાના દર્શન કરાવ્યા હતા.જેના બદલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષણમંત્રી અને પંચાયત મંત્રીનો આભાર પ્રકટ કરવામાં આવ્યો હતો.









