મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ કલબ તથા ઉમા ટાઉનશીપ  પરિવાર દ્વારા રકતદાન કેમ્પ યોજાયો


SHARE















મોરબીમાં લાયન્સ કલબ તથા ઉમા ટાઉનશીપ  પરિવાર દ્વારા રકતદાન કેમ્પ યોજાયો

 રકતદાન દ્વારા જરૂરીયાતમંદોને નવું જીવન આપે છે.તેવી ઉમદા ભાવનાથી આ રક્ત દાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં આશરે ૮૦ જેટલાં ભાઈ-બહેનોએ પોતાના રકતનું દાન કરીને સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કર્યુ હતુ. આ રકતદાન કેમ્પમાં સિવિલ હોસ્પિટલ મોરબી અને સંસ્કાર બ્લડ બેન્કની ટીમના વોલિયન્ટરો દ્વારા લોહી એકત્રિત કરવામાં આવ્યું હતુ. અને આ કેમ્પ સામાકાંઠે આવેલી યુનિક સ્કૂલે યોજવામાં આવ્યો હતો.

આ કેમ્પમાં જે લોકોએ રકતદાન કર્યુ તે તમામ રક્ત દાતાઓને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તેમજ સમાજના સેવા કાર્યમાં હરહંમેશ જેઓ ખુબ જ મોટું આર્થિક યોગદાન આપે છે તેવા જયદીપ એન્ડ કંપનીના દિલુભા જાડેજા તરફથી મોમેન્ટો આપીને રક્તદાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં વૈષ્નાણી કાંતિલાલએ ૧૦૧ મી વખત રકતદાન કર્યુ હતુ અને તેઓએ જણાવ્યું હતુ કે, પોતાનું જીવન પૂરું થાય ત્યારે અંગદાનનો પણ સંકલ્પ કર્યો છે સાથે પરિવારની સંમતિ સાથેનું સ્વેછીક સંમતિપત્રક ભરી દીધુ હતુ. તેમજ મનુભાઈ જાકાસણીયાએ ૬૦ મી વખત રકતદાન કર્યુ હતુ આ બંને વ્યક્તિનું સંસ્થા દ્વારા અદકેરું સન્માન કરવામાં આવ્યું હતુ. આ રકતદાન કેમ્પમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાઅમરસીભાઈ અમૃતિયાઉમા ટાઉનશીપના પ્રમુખ પ્રકાશ ફુલતરિયા અને ગોપાલભાઈ સરડવાએ હાજરી આપીને સેવાકાર્યને બીરદાવ્યુ હતુ. આ કેમ્પને સફળ બનાવવા પ્રેસિડેન્ટ ત્રિભોવનભાઈ ફુલતરિયારમેશભાઇ રૂપાલાકેશુભાઈ દેત્રોજાનાનજીભાઈ મોરડિયાપ્રોજેક્ટ ચેરમેન મનુભાઈ જાકાસણીયાદીપકભાઈ દેત્રોજામણીલાલ કાવરમહાદેવભાઈ ચિખલીયા તથા ઉમા ટાઉનશિપ પરિવારના રતિલાલ ભાલોડિયા અને તેમની સમગ્ર ટીમે સાથે મળીને જહેમત ઉઠાવી હતી 






Latest News