મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડની ઘોરખોદી નાખતા સરકરી મેળાઓ બંધ કરવાની માંગ
SHARE
મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડની ઘોરખોદી નાખતા સરકરી મેળાઓ બંધ કરવાની માંગ
મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડમાં દરવર્ષે જુદાજુદા સરકારી મેળાનું આયોજન કરવામાં આવે છે જેથી ત્યાં જુદીજુદી ભારતીયો માટે પ્રેકટીશ કરતાં અને ક્રિકેટ રમતા યુવાનોને હેરાનગતિનો સામનો કરવો પડે છે જેથી સરકારી મેળાના સ્થળને બદલાવવા માટેની અગાઉ પેટા ચૂંટણી સમયે રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ હાલમાં એલ.ઇ. ગ્રાઉન્ડમાં જ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીનું એક માત્ર એલઇ ગ્રાઉન્ડ યુવા માટે ક્રિકેટ તેમજ આર્મી, નેવી, એર ફોર્સ, પોલીસની ભરતી માટે તૈયારી કરવાનું સ્થળ છે તેમજ સિનિયર સિટીજન ચાલવા આવતા હોય છે ત્યારે આ મેદાનમાં મેળા ન કરવા માટે રજૂઆત કરવામાં આવે છે તો પણ તેને ધ્યાને લેવામાં આવતી નથી હાલમાં ત્યાં એક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પૂરો થતાની સાથે જ આગામી તા ૨૮ થી ફરી પાછો એક મેળો આવી રહ્યો છે જેથી આ મેળાનું સ્થળ બદલાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે









