મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડની ઘોરખોદી નાખતા સરકરી મેળાઓ બંધ કરવાની માંગ
મોરબીની જુદીજુદી બે પેપર મિલોમાં છેલ્લા પાંચ દિવસમાં આગ લાગવાથી કારખાનેદારોને નવ કરોડનું નુકશાન
SHARE
મોરબીની જુદીજુદી બે પેપર મિલોમાં છેલ્લા પાંચ દિવસમાં આગ લાગવાથી કારખાનેદારોને નવ કરોડનું નુકશાન
મોરબી જીલ્લામાં અગાઉ બે પેપર મિલમાં આગ લાગવાની ઘટના બની ગયેલ છે તો પણ આજ સુધી ફાયરની કોઈ સારી સુવિધા મોરબી જિલ્લા માટે હજુ સુધી કરવામાં આવી નથી તેવામાં મોરબીની આરટીઓ કચેરી પાસે અને હરિપર ગામ પાસે આવેલ જુદીજુદી બે પેપર મિલોમાં છેલ્લા પાંચ દિવસમાં આગ લાગવાના જુદાજુદા બે બનાવ બનેલ છે જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી જો કે, કારખાનેદારોને કુલ મળીને નવ કરોડ રૂપિયાનું નુકશાન થયેલ છે
મોરબીના ગોર ખીજડિયા ગામ તરફ જવાના રસ્તે નેકસા પેપરમિલમાં રવિવારે રાતે કોઈ કારણોસર આગ લાગી હતી અને વેસ્ટ પેપરના જથ્થામાં આગ લગતા થોડી જ વારમાં આગ આખા સેડમાં ફેલાઈ ગયેલ હતી અને વેસ્ટ પેપરનો મોટો જથ્થો આગમાં બળીને ખાખ થઈ ગયો હતો આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયર વિભાગના દેવેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવવા પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો જો કે આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં વેસ્ટ પેપરનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો જે ઘટના સંદર્ભે મોરબીના રવાપર રોડ ઉપર રહેતા કારખાનેદાર વિજય ધરમશી મોરડીયાએ મોરબી તાલુકા પોલીસ મથકે જાહેરાત કરી હતી કે, તેઓના યુનિટની અંદર વેસ્ટ પેપરના જથ્થામાં આગ લાગી જવાથી આશરે ૨૦૦૦ ટન જેટલો પેપરનો જથ્થો નાશ પામ્યો હતો અને જેથી અંદાજે સાડા ચાર કરોડનું નુકશાન થયું છે
આવી જ રીતે જ થોડા દિવસો પહેલા એટલે કે, ગત તારીખ ૧૭/૩ ના વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં મોરબીની નવા સાદુળકા ગામે આવેલ એરીકોન પેપર મીલમાં આગ લાગી હતી જેની રવાપર રોડ ઉપર આવેલ અનુપમ સોસાયટીમાં રહેતા કારખાનેદાર અર્જુન અરુણભાઈ સીતાપરા જાતે પટેલ (૨૬)એ મોરબી તાલુકા પોલીસને જાણ કરી છે કે, તેના યુનિટીની અંદર લાગેલી આગમાં કાચો માલનો આશરે ૧૫૦૦ ટન જથ્થો સળગી જતાં આશરે સાડા ચાર કરોડની નુકસાની થવા પામેલ છે જે અંગે જાણવા જોગ દાખલ કરીને બીટ જમાદાર એમ.એલ. બારૈયાએ આગળની તપાસ હાથ ધરી છે.









