મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે છકડો રીક્ષા પલ્ટી જતાં બાળકી સહિત પાંચને ઈજા


SHARE













મોરબીના મકનસર પાસે છકડો રીક્ષા પલ્ટી જતાં બાળકી સહિત પાંચને ઈજા

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામ નજીક છકડો રિક્ષા પલ્ટી મારી ગઇ હતી જે બનાવમાં ચોટીલાના રહેવાસી પરિવારના પાંચ લોકોને ઇજાઓ થતાં સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યા હતા.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામની પાસે ગઈકાલે છકડો રિક્ષા પલ્ટી મારી ગઇ હતી જેથી કરીને તેમાં બેઠેલા ચોટીલાના રહેવાસી પપ્પુભાઇ શાંતિભાઈ સલાટ, અમરશી જીવાભાઈ સલાટ, સુમિત્રા જગાભાઈ સલાટ, વિક્રમ પુનાભાઈ સલાટ અને આશા જગાભાઈ સલાટ (ઉમર ૨) નામના બાળકી સહીતના પાંચ લોકોને ઇજાઓ થતા તેમને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રંગપર (બેલા) ગામના રહેવાસી બળદેવસિંહ પ્રવિણસિંહ ઝાલા (ઉમર ૨૪) નામના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખોખરા હનુમાન રોડ ઉપર સબ સ્ટેશન નજીક બે બાઇક અથડાતા સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં બળદેવસિંહ ઝાલાને સારવારમાં ખસેડાયેલ છે.જ્યારે મોરબીના નવાગામ (લખધીરનગર) રહેતા મીનાબેન દિનેશભાઇ સોલંકી નામની ૨૯ વર્ષીય મહિલા ભૂલથી ફિનાઇલ પી જતાં તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.બનાવની જાણ થતા તાલુકા પીએસઆઇ આઇ.એમ.અજમેરીએ આગળની તપાસ હાથ ધરી છે.

સામસામી મારામારીમાં ત્રણને ઇજા

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર શોભેશ્વર રોડ નજીકના મફતપરા વિસ્તારમાં સામસામી મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં રાજ પિયુષભાઇ કુંવરિયા (૧૯) અને હિતેશ જેઠાભાઇ ટીડાણીયા (૪૩) નામના બે યુવાનોને ઈજાઓ પહોંચી હતી.તે રીતે જ સામેના પક્ષના મહંમદફરીદ હાસમભાઇ જેડા જાતે મિંયાણા (૨૫) રહે.શોભેશ્વર રોડ મોરબી-૨ નામના ત્રણ યુવાનોને ઇજાઓ થતા ત્રણેયને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

 






Latest News