મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાને લાંબા અંતરની ટ્રેનોની ફાળવણી કરવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝની માંગ


SHARE









મોરબી જિલ્લાને લાંબા અંતરની ટ્રેનોની ફાળવણી કરવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝની માંગ

મોરબીમાં સિરામિક સહિતના ઉદ્યોગ આવેલા છે જેથી કરીને રોજગારી માટે  અને ખરીદી માટે દેશના દરેક રાજ્યમાંથી લોકો આવે છે જો કે, મોરબી જિલ્લાને લાંબા અંતરની ટ્રેનોની ફાળવણી કરવામાં આવી નથી જેથી લોકોને હેરાન થવું પડે છે ત્યારે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝ દ્વારા મુંબઈ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરને લેખિત રજૂઆત કરીને મોરબી જિલ્લાને પણ લાંબા અંતરની ટ્રેનોની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

હાલમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝના પ્રમુખ જયંતિભાઈ પટેલ દ્વારા મુંબઈ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરને જે લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીની આસપાસમાં સિરામિક, પેપર મિલ, ઘડિયાળ, રૂફિંગ ટાઇલ્સ સહિતના અનેક ઉદ્યોગ આવેલ છે જેથી અહી રોજગારી માટે અને માલની ખરીદી માટે દેશના દરેક રાજ્યમાંથી લોકો આવે છે ત્યારે લાંબા અંતરની ટ્રેનો ન હોવાથી લોકોને અમદાવાદ કે રાજકોટ ફરીને મોરબી આવવું પડે છે જેથી કરીને મોરબી જિલ્લાને પણ લાંબા અંતરની ટ્રેનો આપવામાં આવે તેવી માંગ કરેલ છે મોરબી દેશમાં ઉદ્યોગની રીતે નંબર વન છે જો કે, રેલવેની સેવાઓમાં પાછળ છે ત્યારે કેટલીક ટ્રેનો ભુજ અને ગાંધીધામ તરફ આવક જાવક કરે છે જો કે, માળીયા (મિયાણા) અને હળવદમાંથી પૂરતો ટ્રાફિક મળતો નથી જો આ ટ્રેનોનું સ્ટોપેજ ધ્યાનમાં લેવાય તો મુસાફરોને ફયાદો અને રેલવેની આવકમાં પણ વધારો થાય તેમ છે

જો ગાંધીધામથી હાવડા વાયા મોરબી, ગાંધીધામથી ગૌહાટી વાયા મોરબી, ગાંધીધામથી ગયા જં. વાયા મોરબી, ગાંધીધામથી દરભંગા વાયા મોરબી, મોરબીથી રાયગઢ, મોરબીથી પુરી અને મોરબીથી મહેસાણા ઇન્ટરસિટી આ સાત ટ્રેનો મોરબીને ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ ઉપરાંત ઓખાથી બનારસ, શાલીમારથી પોરબંદર, ઓખાથી દહેરાદૂન, ઓખાથી ગૌહાટી અને ઓખાથી ગોરખપુર ટ્રેનને વાંકાનેર સ્ટોપ આપવામાં આવે તેવી માંગ કરી છે વાંકાનેર, મોરબી, માળીયામાં બ્રોડ ગેજ લાઇનને ૨૦ વર્ષથી પથરવામાં આવી છે જો કે, હજુ સુધી લાંબા અંતરની ટ્રેનો આપવામાં આવી નથી ત્યારે આ બાબતમાં યોગ્ય કાર્યવાહી કરીને મોરબીને ટ્રેનોની  ફાળવણી કરવામાં આવે તેવી માંગ મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા કરવામાં આવેલ છે






Latest News