મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાને લાંબા અંતરની ટ્રેનોની ફાળવણી કરવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝની માંગ


SHARE













મોરબી જિલ્લાને લાંબા અંતરની ટ્રેનોની ફાળવણી કરવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝની માંગ

મોરબીમાં સિરામિક સહિતના ઉદ્યોગ આવેલા છે જેથી કરીને રોજગારી માટે  અને ખરીદી માટે દેશના દરેક રાજ્યમાંથી લોકો આવે છે જો કે, મોરબી જિલ્લાને લાંબા અંતરની ટ્રેનોની ફાળવણી કરવામાં આવી નથી જેથી લોકોને હેરાન થવું પડે છે ત્યારે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝ દ્વારા મુંબઈ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરને લેખિત રજૂઆત કરીને મોરબી જિલ્લાને પણ લાંબા અંતરની ટ્રેનોની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

હાલમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝના પ્રમુખ જયંતિભાઈ પટેલ દ્વારા મુંબઈ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરને જે લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીની આસપાસમાં સિરામિક, પેપર મિલ, ઘડિયાળ, રૂફિંગ ટાઇલ્સ સહિતના અનેક ઉદ્યોગ આવેલ છે જેથી અહી રોજગારી માટે અને માલની ખરીદી માટે દેશના દરેક રાજ્યમાંથી લોકો આવે છે ત્યારે લાંબા અંતરની ટ્રેનો ન હોવાથી લોકોને અમદાવાદ કે રાજકોટ ફરીને મોરબી આવવું પડે છે જેથી કરીને મોરબી જિલ્લાને પણ લાંબા અંતરની ટ્રેનો આપવામાં આવે તેવી માંગ કરેલ છે મોરબી દેશમાં ઉદ્યોગની રીતે નંબર વન છે જો કે, રેલવેની સેવાઓમાં પાછળ છે ત્યારે કેટલીક ટ્રેનો ભુજ અને ગાંધીધામ તરફ આવક જાવક કરે છે જો કે, માળીયા (મિયાણા) અને હળવદમાંથી પૂરતો ટ્રાફિક મળતો નથી જો આ ટ્રેનોનું સ્ટોપેજ ધ્યાનમાં લેવાય તો મુસાફરોને ફયાદો અને રેલવેની આવકમાં પણ વધારો થાય તેમ છે

જો ગાંધીધામથી હાવડા વાયા મોરબી, ગાંધીધામથી ગૌહાટી વાયા મોરબી, ગાંધીધામથી ગયા જં. વાયા મોરબી, ગાંધીધામથી દરભંગા વાયા મોરબી, મોરબીથી રાયગઢ, મોરબીથી પુરી અને મોરબીથી મહેસાણા ઇન્ટરસિટી આ સાત ટ્રેનો મોરબીને ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ ઉપરાંત ઓખાથી બનારસ, શાલીમારથી પોરબંદર, ઓખાથી દહેરાદૂન, ઓખાથી ગૌહાટી અને ઓખાથી ગોરખપુર ટ્રેનને વાંકાનેર સ્ટોપ આપવામાં આવે તેવી માંગ કરી છે વાંકાનેર, મોરબી, માળીયામાં બ્રોડ ગેજ લાઇનને ૨૦ વર્ષથી પથરવામાં આવી છે જો કે, હજુ સુધી લાંબા અંતરની ટ્રેનો આપવામાં આવી નથી ત્યારે આ બાબતમાં યોગ્ય કાર્યવાહી કરીને મોરબીને ટ્રેનોની  ફાળવણી કરવામાં આવે તેવી માંગ મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા કરવામાં આવેલ છે






Latest News