વડાપ્રધાનનો બોલ ઝીલીયા: હળવદના કડિયાણામાં સરકારી શાળાનો ૬૮ મો જન્મ દિન ઉજવાયો
મોરબીમાં કાલે ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજાશે
SHARE
મોરબીમાં કાલે ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજાશે
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પી.જી. પટેલ કોમર્સ કોલેજ દ્વારા શહીદ દિનની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજાશે જેમાં કોલેજના વિદ્યાર્થી જોડાશે
મોરબીમાં શહીદ દિવસ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ અને પી.જી.પટેલ કોલેજ દ્વારા દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર શહીદોને યાદ કરીને શહીદ ભગતસિંહને વીરાજંલી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે અને ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજાશે જે તિરંગા યાત્રા સવારે ૧૦ વાગ્યે શનાળા રોડે આવેલ સ્કાઈ મોલથી ગાંધીચોક સુધી યોજાશે અને ત્યાં શહીદ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર તેમજ પ્રતીકાત્મક દૂધનો અભિષેક કરવામાં આવશે ત્યારે દેવેનભાઈ રબારીએ જણાવ્યુ હતું કે, શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓને ખરા અર્થે શ્રદ્ધાંજલિ આપવા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના ૧૧૬ યુવાનો એક દિવસના પ્રતીક ઉપવાસ કરીને શહીદ ભગતસિંહને અનોખી રીતે વીરાજંલી અર્પણ કરશે.