મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ભાગવત સપ્તાહનું આયોજન


SHARE







મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ટ્રસ્ટ દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે

મોરબીમાં સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૨૬/૩ થી ૧/૪ સુધી આ કથા ચાલશે અને કથાનો સમય ૩ થી ૭ નો રાખવામા આવેલ છે અને કથાકાર સુહાગભાઇ દવે શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. તેમજ ભાગવત સપ્તાહમાં આવતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ ધામધુમથી ઉજવાશે તા ૨૮ ના રોજ નૃસિંહ પ્રાગટ્ય, તા ૨૯ ના રોજ વામન પ્રાગટ્ય, અને કૃષ્ણ પ્રાગટ્ય, તા.૩૦ ના રોજ ગોવર્ધન પૂજા, તા. ૩૧ ના રોજ રૂક્ષ્મણી વિવાહ, તા.૧ ના રોજ સુદામા ચરિત્ર, અને કથા વિરામ થશે. જેથી કથાનો લાભ લેવા માટે મોરબીના લોકોને આયોજકોએ આમંત્રણ આપ્યું છે






Latest News