વાંકાનેર શહેર અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીક જયંતિભાઈ મદ્રેસાણીયાની વરણી
મોરબીમાં ભાજપ, સાર્થક સ્કૂલ, વિહિપ, બજરંગદળ સહિતની સંસ્થા દ્વારા શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરાઇ
SHARE
મોરબીમાં ભાજપ, સાર્થક સ્કૂલ, વિહિપ, બજરંગદળ સહિતની સંસ્થા દ્વારા શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરાઇ
મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા તથા મહામંત્રી રિષીપભાઈ અને ભાવેશભાઈ કંઝરિયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શહીદ દિવસ નિમિત્તે ગાંધી ચોક ખાતે ભગતસિંહની પ્રતિમાને ફુલહાર કરી વિરાજંલિ અર્પણ કરવામાં આવી હતી. આવી જ રીતે મોરબીના શનાળા ગામે આવેલ સાર્થક વિદ્યામંદિર દ્વારા શહીદ દિવસ નિમિતે શહીદ સ્મરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્મી ગૃપના સભ્યો તેમજ શનાળાના સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા શહીદ વેશભૂષા, વિશાળ રાષ્ટ્રધ્વજ, તલવાર કરતબ તેમજ ભારતમાતા પૂજન જેવા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જયારે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, ગૌરક્ષા મોરબી જિલ્લા, મોરબી શહેર, મોરબી ગ્રામ્યની ટીમ દ્વારા દેશના મહાન ક્રાંતિકારી અને વિર યોદ્ધા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાન દિવસ એટ્લે કે શહિદ દિવસ નિમીતે ગાંધીચોક ખાતે તેમની પ્રતિમાને ફુલહાર કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી









