મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક કારખાનાની ઓરડીમાં ગળેફાસો ખાઇ જતા યુવાનનું મોત


SHARE













મોરબીના રફાળેશ્વર નજીક કારખાનાની ઓરડીમાં ગળેફાસો ખાઇ જતા યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે પાનેલી રોડ ઉપર રહેતા યુવાને રફાળેશ્વર નજીક આવેલા કારખાનાના લેબર કવાટરમાં ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો જ્યાં યુવાનનું મોત નિપજયું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે

વધુમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે પાનેલી રોડ ઉપર રહેતા દામજીભાઈ બાબુભાઈ ઉઘરેજા જાતે કોળી નામના ૩૨ વર્ષીય યુવાને રફાળેશ્વર ગામ નજીક આવેલા કારખાનાના લેબર કવાટરમાં ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં રાજકોટ સારવાર માટે લઇ જવાયો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન દામજીભાઈ ઉઘરેજા નામના કોળી યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.વધુમાં મળતી માહિતી મુજબ આપઘાત કરનાર યુવાન ત્રણ ભાઈઓ પૈકી નાનો હતો અને અપરિણીત હતો

આધેડ સારવારમાં

જામનગર ખાતે રહેતા ધરમશીભાઈ અમરસીભાઇ ભાઈ કટેશીયા નામના ૬૧ વર્ષીય આધેડે જામનગરના દિગ્જામ સર્કલ પાસેથી બાઇક લઇને જતા હતા અને તેઓ સ્વામિનારાયણ મંદિરે જઈ રહ્યા હતા તે દરમિયાન સર્જાયેલા અકસ્માતમાં ઇજાઓ થતા ધરમશીભાઈ કટેસીયાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યારે મોરબીના વાધરવા ગામે ભારતનગર વિસ્તારમાં રહેતા રાજીબેન જેસંગભાઈ ધ્રાંગા નામના મહિલા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા તે દરમિયાન તેઓ બાઇકમાંથી નીચે પડી જતા ઈજાગ્રસ્ત થયેલા રાજીબેન ધ્રાંગાને સારવારમાં ખસેડાયા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શકત શનાળા ગામે રહેતા પ્રફુલાબા મહેન્દ્રસિંહ ગોહિલ નામના ૫૪ વર્ષીય મહિલા બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા તે દરમિયાન ભક્તિનગર સર્કલ પાસે તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઈજાગ્રસ્ત થયેલા પ્રફુલાબાને સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે ટંકારાના રહેવાથી ભગવતીબેન રમેશભાઈ વાણંદ નામના ૩૫ વર્ષીય મહિલાને તેમના ઘેર પતિએ માર મારતા ભગવતીબેનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.પોલીસે બંને બનાવોની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરેલ છે.






Latest News