મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી રોટરી કલબ દ્રારા રવિવારે આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાશે


SHARE













મોરબી રોટરી કલબ દ્રારા રવિવારે આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાશે

રોટરી ક્લબ-મોરબી દ્વારા અગાઉ ત્રણ સફળ આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાયા બાદ પુન: ચોથી વખત નિ:શુલ્ક ગીર આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં ગીર (સાસણ) ના પ્રખર વૈધ જીગ્નેશભાઈ પટેલ દ્વારા નિદાન કરવામાં આવશે.કેમ્પનો અહિંના સેજપાલ હોલ જલારામ પ્રાર્થના મંદિર અયોધ્યાપુરી મેઇન રોડ મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

વર્ષોના અનુભવી આયુર્વેદિક તબીબ દ્વારા નાડી પરીક્ષણ કરીને યોગ્ય નિદાન અને માર્ગદર્શન આપવામાં આવશે માટે જુના અને હઠીલા રોગો જેમ કે હાથીપગા, ગોઠણ અને કમરના દુખાવા, સાયટીકા, સ્ત્રીરોગો, સોર્યાસીસ અને ડાયાબિટીસ સહિતના રોગોના આયુર્વેદિક ઉપચાર માટે કેમ્પનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.કેમ્પમાં ભાગ લેવા માટે નામ નોંધણી જરૂરી છે કેમ્પ આગામી તા.૨૭ ને રવિવારે સવારે ૯ થી ૫ સુધી યોજાશે. નામ નોંધાવવા માટે અશોકભાઈ મહેતા અને હરીશભાઇ શેઠનો મોબાઈલ નંબર ૯૯૭૮૪ ૪૨૮૫૨ અથવા ૯૩૭૬૧ ૬૧૪૦૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.






Latest News