મોરબી રોટરી કલબ દ્રારા રવિવારે આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાશે
મોરબીના નવા બનેલા ઓવરબ્રિજને શહીદ ભગતસિંહ નામ આપવાની માંગ
SHARE
મોરબીના નવા બનેલા ઓવરબ્રિજને શહીદ ભગતસિંહ નામ આપવાની માંગ
તાજેતરમાં જ શહીદ દિવસ નિમિતે દેશ ભરમાં જુદાજુદા કાર્યક્રમો યોજાયા હતા ત્યારે મોરબીમાં પણ જુદીજુદી સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું દમયાન મોરબીના ભક્તિનગર સર્કલ પાસે નવા બનેલ ઓવરબ્રિજને શહીદ ભગતસિંહ ઓવરબ્રિજ નામ આપવા માટે મોરબી જિલ્લા યુવા ભાજપના કારોબારી સદસ્ય હસમુખભાઈ રબારીએ કલેકટરને રજુઆત કરી છે
મોરબી જિલ્લા યુવા ભાજપના કારોબારી સદસ્ય હસમુખભાઈ રબારીએ કરેલ રજુઆતમાં જણાવ્યું હતું કે શહીદ ભગતસિંહે આઝાદી માટે નાની ઉંમરે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે ત્યારે મોરબીના બાયપાસ ઉપર નવા બનાવવામાં આવેલ ઓવરબ્રિજને શહીદ ભગતસિંહ ઓવરબ્રિજ નામ આપીવામાં આવે તેવી લાગણી અને માંગણી કરવામાં આવી છે