મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીના અજય લોરીયા પંજાબના શહીદ થયેલા જવાનોના પરિવારને આર્થિક સહાય આપવા જશે


SHARE







મોરબીના અજય લોરીયા પંજાબના શહીદ થયેલા જવાનોના પરિવારને આર્થિક સહાય આપવા જશે

મોરબીના સેવાકીય કામમાં હમેશા અગ્રેસર રહેતા મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા શાહિદ થયેલા જવાનોના પરિવારોને તેના ઘરે જઈને આર્થિક સહાય આપવામાં આવી રહી છે ત્યારે બે વર્ષ બાદ ફરી શહીદોને સહાય અર્પણ કરવા માટે તે પંજાબ જવાના છે ત્યારે મોરબીના જોધપર ગામમે રહેતી હિરલ બરાસરા નામની દીકરી અને તેમની બહેનપણીઓએ શહીદ દિને શહીદોને આર્થિક રીતે મદદ કરવાની ભાવના સાથે ૧૨૬૨૦ રૂપિયા એકત્રિત કર્યા હતા જે રકમ અજય લોરીયાને આપવામાં આવી છે અને તાજેતરમાં અજય લોરીયાએ ગુજરાતના શહીદ જવાનો હરીશસિંહ પરમારના પરિવારને ૧.૭૫ લાખ અને જયદિપસિંહ સોલંકીના પરિવારને ૧.૭૫ લાખની સહાય અર્પણ કરી હતી અને હાલમાં તેની પાસે આ સહાય માટે એકત્રિત કરવામાં આવેલ રકમ માંથી ૭,૮૮,૬૨૦ રૂપિયાની બેલેન્સ છે જેમાથી પંજાબના શહીદ થયેલા જવાનોના પરિવારને આર્થિક સહાય આપવા માટે તે ૧ એપ્રિલે પંજાબ જવાના છે અને જે લોકો સહાય આપવા માટે ઇચ્છતા હોય તેઓએ અજય લોરીયા (૯૯૧૩૪ ૩૩૩૩૩)નો  સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News