મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પાલિકા પ્રમુખના વોર્ડમાં સારી પ્રાથમિક સુવિધા ન મળે તો આગામી વિધાનસભા ચુંટણીમાં મતદાનનો બહિષ્કાર


SHARE







મોરબીમાં પાલિકા પ્રમુખના વોર્ડમાં સારી પ્રાથમિક સુવિધા ન મળે તો આગામી વિધાનસભા ચુંટણીમાં મતદાનનો બહિષ્કાર

મોરબી નગરપાલિકા વોર્ડ નં૧૧ માં સતવારા સમાજના લોકો વધુ છે અને હાલમાં પાલિકા પ્રમુખ પણ સતવારા સમાજના છે આટલું જ નહિ તે પાલિકાની ચુંટણીમાં આ વોર્ડમાંથી જ ચૂંટાયેલ છે તો પણ ત્યાં રહેતા લોકોને સારી પ્રાથમિક સુવિધાઓ મળી રહી નથી જેથી સ્થાનિક લોકોની એક મિટિંગ મળી હતી અને તેમાં પાલિકા દ્વારા  સારી સુવિધા ન આપવામાં આવે તો પાલિકાનો ઘેરાવ, આંદોલન અને આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

મોરબી શહેરની એ ગ્રેડ ની ભાજપ શાસિત પાલિકા દ્વારા વોર્ડ નંબર ૧૧ માં  પ્રજાને મળવી જોઇએ તે પ્રાથમિક સુવિધા આપવામાં  આવતી નથી અને પાલિકા સુવિધા આપવામાં સાવ  નિષ્ફળ ગયેલ છે હાલમાં પાલિકા પ્રમુખન કે.કે.પરમાર અને તેની સાથે સતવારા સમાજના અન્ય સદસ્ય પણ ભાજપની પેનલમાં ચૂંટાયા છે અને પાલિકામાંથી  મળતી માહિતી  પ્રમાણે આ વાડી વિસ્તાર માટે સરકારે  કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરેલ છે છતાં આં વિસ્તારના કોઇ કામો કરવામાં આવતા નથી જેથી કરીને વાડી વિસ્તારમાં રોલા રાતડીયાની વાડી, ભાયત રોલની વાડી, કપોરીની વાડી, શીયારની વાડી, પાનેલીની વાડી અને સામતાણીની વાડીના આગેવાનોની એક મીટીંગ મળેલ હતી.

જેમાં મોરબી નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૧૧ માં લાઈટ, સફાઈ, પાણી અને ભૂગર્ભ ગટર અને રોડ-રસ્તાની સુવિઘા આપવામાં આવતી નથી તે માટે સતવારા સમાજ વાડી વિસ્તારની મીટીંગ રોલાં રાતડિયાની વાડીમાં હોળી ચોકમાં મળેલ અને આં પ્રાથમિક સુવિધા માટે ચર્ચા કરવામાં આવી હતી. અને પાલિકામાં અનેક વખત રજુઆત કરવા છતાં પણ પ્રાથમિક સુવિઘા આપવામાં આવતી  નથી માટે આવનાર સમયમાં આ વિસ્તારને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નહિ આવે તો આવનાર દિવસોમાં પાલિકાને ઘેરાવ કરવાનું નક્કી કરેલ છે

આટલું જ નહીં આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે તેમ નક્કી કરાયેલ છે. આ વોર્ડ નંબર ૧૧ ના ચારે ચાર  સદસ્ય સતવારા સમાજના છે અને પાલિકા પ્રમુખ  કે.કે પરમાર પણ સતવારા સમાજના હોવા છતાં વાડી વિસ્તારના કોઇ કામ કરવામાં આવતા નથી માટે  સાતેય વાડીના સતવારા સમાજના લોકોએ ચીમકી ઉચારી છે કે, વાડી વિસ્તારને પ્રાથમિક સુવિઘા આપવામાં નહિ આવે તો વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર અને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News