મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

રાજકોટમાં રહેતા વૃદ્ધની ટંકારાના ધૂનડા ગામે આવેલ ખેતીની જમીન ત્રણ શખ્સોએ પચાવી પડી


SHARE







રાજકોટમાં રહેતા વૃદ્ધની ટંકારાના ધૂનડા ગામે આવેલ ખેતીની જમીન ત્રણ શખ્સોએ પચાવી પડી

રાજકોટમાં રહેતા વૃદ્ધની ટંકારાના ધૂનડા સજ્જનપર ગામે જમીન આવેલ છે તેની ૩૬ ગુઠા જમીન ઉપર ત્રણ શખ્સોએ દબાણ કર્યું છે જેથી જમીન પચાવી પાડનારા સામે ટંકારા પોલીસ સ્ટેશને વૃદ્ધે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

હાલમાં રાજકોટ માધવ પાર્કમાં રહેતા ભાવસિંહજી દામજીભાઇ ડોડીયા કે જેની ધૂનડા સજ્જનપર ગામે ખેતીની જમીન આવેલ છે તે ૩૬ ગુઠા ખેતીની જમીન ઉપર મનજીભાઇ ગોરધનભાઇ ફુલતરીયાનિલેશભાઇ ગોરધનભાઇ ફુલતરીયા તથા હરેશભાઇ મનજીભાઇ ફુલતરીયાએ દબાણ કર્યું છે અને જમીનને પચાવી પાડી છે તેમજ ત્યાં વાવેતર કરવા લાગ્યા છે જેથી કરીને વૃદ્ધે લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ અરજી કરી હતી. જેના આધારે ટંકારા પોલીસ સ્ટેશને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ ની કલમ ૩૪(૧)(૩), ૫(ગ) તથા આઇ.પી.સી.કલમ-૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






Latest News