મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સીટીઝન્સ ક્રેડિટ કો-ઓપ. દ્વારા પાંચ સંસ્થાને અપાયું ૩.૦૬ લાખનું દાન


SHARE







મોરબીમાં સીટીઝન્સ ક્રેડિટ કો-ઓપ. દ્વારા પાંચ સંસ્થાને અપાયું ૩.૦૬ લાખનું દાન

ધી મોરબી સીટીઝન્સ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ. ૨૫ વર્ષથી મોરબીમાં બચત કરવા, થાપણ, ડેઇલી કલેક્શન થકી બચત કરવા, રોકાણ કરવા તથા સભાસદોને જરૂર પડ્યે ૫૦૦૦૦ થી ૧૫ લાખ સુધીનું ધિરાણ નિયમોને આધીન આપવામાં આવે છે. અને આ સંસ્થા દ્વારા ગત વર્ષ ઇકો એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં સોસાયટીના સભાસદ માટે વિનામૂલ્યે અને જાહેર જનતા માટે રાહતદરે ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો અને સેવાનો લાભ લેવા માટે મો. ૯૮૭૯૩ ૫૫૪૨૨ તેમજ ૯૯૨૫૨ ૩૨૭૯૦ ઉપર સંપર્ક કરવાનો રહેશે વધુમાં આ સંસ્થાના હોદેદારોએ જણાવ્યુ હતું કે, ધી મોરબી સીટીઝન્સ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ. દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ ગત તા.૨૩ ના રોજ માનવ સેવા તથા ગૌ-સેવા સાથે જોડાયેલા ટ્રસ્ટને રોકડ રકમનું દાન આપવામાં આવ્યું હતું જેમાં યદુનંદન ગૌ-સેવા ટ્રસ્ટમાં ૫૧૦૦૦, મોરબી પાંજરાપોળમાં ૫૧૦૦૦, ટંકારા પાંજરાપોળમાં ૫૧૦૦૦, ખાખરેચી પાંજરાપોળમાં ૫૧૦૦૦ અને પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટમાં ૧૦૨૦૦૦ નું દાન આપવામાં આવેલ છે આમ કુલ ૩૦૬૦૦૦ ની આર્થિક મદદ જુડજુદા ટ્રસ્ટને કરવામાં આવી છે તેમ સોસાયટીના પ્રમુખ મનોજકુમાર ડી.દેસાઈ તેમજ મેનેજર યુવરાજસિંહ બી.જાડેજાની યાદીમાં જણાવેલ છે






Latest News