મોરબીના શ્રી સ્થાનકવાસી જૈન સંઘમાં તપ તેજસ્વીની શ્રી વિજેતાજી આર્યાજીના અઠ્ઠમના વર્ષીતપ પ્રસંગે ત્રિવેણી મહોત્સવ મોરબી નવયુગ કોલેજનું ગૌરવ વધારતી જાનવી સિતાપરા માળીયા (મી)ના મોટા દહીસરા ગામે જુગારની રેડ પડતાં ભાગાભાગી: 6 શખ્સોની 1.13 લાખના મુદામાલ સાથે ધરપકડ, 3 ની શોધખોળ માળીયા(મી) ગ્રામ્ય-શહેરી વિસ્તારના વિવિધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય વસ્તી ગણતરી અનિવાર્ય: મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી મોરબીના બહાદુરગઢ ગામે હાર્ટ એટેકથી આધેડનું મોત મોરબીમાં પતિ સાથે ઝગડો થતા એસીડ પી ગયેલા મહિલા સારવારમાં મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ધો. ૧૦ અને ૧૨ ના ૨૦,૫૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે તૈયાર


SHARE











મોરબી જીલ્લામાં ધો. ૧૦ અને ૧૨ ના ૨૦,૫૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે તૈયાર

ગાંધીનગર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આગામી સોમવારથી શરૂ થવાની છે ત્યારે ધોરણ ૧૦, અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહના નિયમિત, રીપીટર, પૃથ્થક, ખાનગી ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવશે જેમાં મોરબી જીલ્લામાં ધો. ૧૦ અને ૧૨ માં કુલ મળીને ૨૦,૫૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે તૈયાર છે

આ પરીક્ષામાં જે ઉમેદવારો ઉપસ્થિત રહેનાર છે તેઓને પોતાના બેઠક નંબર તથા શાળાની ચકાસણી પરીક્ષા ચાલુ થયાના આગળના દિવસે કરવાની રહેતી હોય છે.પરંતુ આ વખતે તા.૨૭-૩ રવિવારના રોજ વન સંરક્ષક પરીક્ષા (વર્ગ-૩) નું આયોજન મોરબી જિલ્લાના કેન્દ્રો ખાતે કરવામાં આવેલ છે.જેથી ધોરણ ૧૦, અને ધોરણ ૧૨ ના પરીક્ષાર્થીઓએ પોતાના બેઠક નંબર તથા શાળાની ચકાસણી કરવા તા.૨૭-૩ રવિવારના બપોરે ૪ થી ૬ સુધીમાં કરવાની રહેશે. જિલ્લા શિક્ષણાધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, જીલ્લામાં ધો. ૧૦ ના ૧૨,૮૪૪ વિદ્યાર્થીઓ માટે ૪૭ બિલ્ડીંગમાં ૪૬૮ બ્લોકમાં બેઠક વ્યવસ્થા રાખવામા આવી છે તો ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૬૨૨૭ વિદ્યાર્થીઓ માટે ૨૦ બિલ્ડીંગમાં ૨૧૯ બ્લોકમાં બેઠક વ્યવસ્થા અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૧૪૯૯ વિદ્યાર્થીઓ માટે ૮ બિલ્ડીંગમાં ૧૦૦ બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે

નામ નોધણી કેમ્પ યોજાશે

સાંસદ આર્દશ ગ્રામયોજના અન્વયે નામ નોધણી કેમ્પ અને  સેમીનારનું આયોજન જિલ્લા  રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા આત્મીય કોમ્પુટર, રવાપર રોડ ખાતે તા.૨૯/૦૩ ના રોજ બપોરે 0૩:00 કલાકે આયોજન કરવામાં આવેલ છે. ઉમેદવારોને રોજગારલક્ષી સેવા, કારકિર્દી માર્ગદર્શન મળી રહે તે માટે નોધણી કરવામાં આવશે જે નોધાયેલ ઉમેદવારોને રોજગાર કચેરી દ્વારા યોગ્ય માર્ગદર્શન થી ઉજવળ કારકિર્દી  બનાવી શકાય એ હેતુથી નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ અંગે વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ- રૂમ નં. ૨૧૪ થી ૨૧૬, સો-ઓરડી વિસ્તાર, મોરબી. વધુ માહિતી માટે રોજગાર સેતુ હેલ્પલાઇન નં. ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા તેમ જિલ્લા રોજગાર અધિકારી-મોરબીની યાદીમાં જણાવાયું છે.






Latest News