મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલી ગામ પાસે કારખાનાના ચોકીદાર ઉપર બે અજાણ્યા શખ્સો દ્વારા છરી વડે હુમલો


SHARE







વાંકાનેરના જાલી ગામ પાસે કારખાનાના ચોકીદાર ઉપર બે અજાણ્યા શખ્સો દ્વારા છરી વડે હુમલો

વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં આવેલા કારખાનામાં ચોકીદાર તરીકે નોકરી કરતા યુવાન પાસે અજાણ્યા બે શખ્સો રાત્રી દરમિયાન આવ્યા હતા ત્યારે તે પૈકીનાં એક શખ્સે તેને છાતીના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે ખસેડાયો હતો અને હાલમાં સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને અજાણ્યા બે શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના ગામની જાલી ગામની સીમમાં આવેલ અમૃત કારખાનામાં સીકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા અશોકભાઈ રામજીભાઈ ગોરીયા જાતે કોળી (ઉંમર ૩૨) એ હાલમાં બે અજાણ્યા શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓ અમૃત કારખાનામાં ચોકીદાર તરીકે કામ રહે છે ત્યારે રાત્રિના સમયે અજાણ્યા બે શખ્સો કારખાના પટમાં આવીને દરવાજો ખખડાવ્યો હતો જેથી કરીને તેઓએ દરવાજો ખોલતાની સાથે જ ત્યાં આવેલા બે શખ્સો પૈકીનાં એકે તેને કોઇ કારણોસર છાતીના ડાબા ભાગે છરી મારી હતી જેથી લોહી નીકળતા અશોકભાઈએ રાડા રાડ કરી મૂકતાં તેના પત્ની ત્યાં આવી ગયા હતા જેથી કરીને અજાણ્યા બંને શખ્સ ત્યાંથી ભાગી છૂટયા હતા અને ઇજા પામેલા અશોકભાઈને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા અને ત્યાર બાદ સારવાર લઈને અશોકભાઈએ અજાણ્યા બે શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

દેશીદારૂની ભઠ્ઠી

મોરબી તાલુકાના અમરાપર ગામની સીમમાં વોકળાના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા થયા રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી કુલ મળીને દેશી દારૂ બનાવવા માટેનો વપરાતો ૧૮૩૦ લિટર આથો અને ગેસનો બાટલો, ગેસનો ચૂલો તેમજ અન્ય સાધન સામગ્રી મળીને છ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને સ્થળ ઉપરથી દિનેશભાઈ આયદાનભાઇ ગરચર જાતે બોરીચા (ઉંમર ૪૨) રહે. અમરાપર વાળો મળી આવતાં તેની ધરપકડ કરેલ હતી.






Latest News