મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડ ઉપરથી ગુમ થયેલ યુવાનનો મચ્છુ-૩ ડેમમાંથી મૃતદેહ મળ્યો


SHARE













મોરબીના રવાપર રોડ ઉપરથી ગુમ થયેલ યુવાનનો મચ્છુ-૩ ડેમમાંથી મૃતદેહ મળ્યો

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રીલાયન્સનગર વિસ્તારમાં રહેતા અને મૂળ જેતપર (મચ્છુ) નો રહેવાસી પટેલ યુવાન ગત શનિવારથી ગુમ થયેલ જેથી તેમના પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી દરમિયાન તેનું બાઇક મચ્છુ-૩ ડેમ નજીક હોટલ પાસેથી મળી આવ્યું હોય ડેમમાં તપાસ કરવામાં આવી રહી હતી ગઇકાલે રવિવારના રોજ પાલીકાના ફાયર વિભાગની ટીમે શોધખોળ કર્યા બાદ કોઇ પતો લાગ્યો ન હતો.જોકે આજે સવારે ફાયરની ટીમે કરેલ શોધખોળ દરમિયાન રવાપર રોડ ઉપરથી ગુમ થયેલા યુવાનનો મૃતદેહ હાથ લાગ્યો હતો.જેથી કરીને પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યું હતું અને બનાવની જાણ થતાં હાલમાં તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત માહીતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલા રિલાયન્સનગર વિસ્તારમાં રહેતા વિનોદભાઈ મગનભાઇ અમૃતિયા નામનો ૪૫ વર્ષીય પટેલ યુવાન ગત શનિવારના રોજ ગુમ થયેલ હતો જેથી પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી અને બાદમાં તેઓનું બાઈક મચ્છુ-૩ ડેમ પાસે આવેલ હોટલ નજીકથી બીનવારસી હાલતમાં મળી આવ્યું હોય તેઓએ ડેમમાં ઝંપલાવ્યુ હોવાની ભીતિ સાથે પાલીકાના ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી.રવિવારના રોજ ડેમમાં તપાસ કરી હતી છતાં પણ વિનોદભાઈનો પત્તો લાગ્યો ન હતો અને આજે તા.૨૮-૩ ને સોમવારે સવારે ફાયરની ટીમ દ્રારા ડેમમાં તપાસ કરવામાં આવતા ડેમમાંથી ગુમ થયેલા વિનોદભાઈ મગનભાઇ અમૃતિયાનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી ડેડબોડીને પીએમ માટે સિવિલે ખસેડીને બનાવ અંગે પોલીસ તેમજ પરિવારને જાણ કરવામાં આવી હતી.જેથી અમૃતિયા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું.મૃતક વિનોદભાઈ મૂળ જેતપર (મચ્છુ) ગામના વતની હતા અને હાલ છેલ્લા થોડા સમયથી માનસિક અસ્વસ્થ હોવાનું તેમના પિતરાઈ ભાઈ પાસેથી જાણવા મળેલ છે હાલ બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના લીલાપર રોડ ઉપર રહેતી રજિયાબેન ઉમેદભાઈ સુમરા નામની સાત વર્ષિય બાળકીને લીલાપર રોડ ઉપર આવેલ વિલ્સન પેપર મિલ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.જયારે મોરબીના પીપળી ગામ નજીક યોગ આશ્રમની પાસે ગાય દ્વારા ઢીક મારવામાં આવતા વાલજીભાઈ મહાદેવભાઇ જસાપરા નામના ૬૨ વર્ષીય આધેડને ઇજાઓ થતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.






Latest News