મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેરમાં ઈલેક્ટ્રીક શોટ લાગતા બે ના મોત


SHARE







મોરબી અને વાંકાનેરમાં ઈલેક્ટ્રીક શોટ લાગતા બે ના મોત

મોરબી શહેરના નવલખી રોડ ઉપર રણછોડનગર વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના ઘરે શોટ લાગતા તેણીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.જ્યારે વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર કારખાનામાં મજૂરી કામ કરતા મજૂર યુવાનને કારખાનામાં શોટ લાગતા તેનું પણ મોત નીપજ્યું હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.

ઉપરોકત બનાવોની મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટમેરી સ્કૂલ પાછળ રણછોડનગર વિસ્તારમાં રહેતા શાયનાબેન ઈસ્માઈલભાઈ ભટ્ટી નામની ૩૦ વર્ષીય મહિલા ઘરે હતી તે દરમિયાન તેણીને ઇલેક્ટ્રિક શોટ લાગતા તેણીનું નોત નિપજતા મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

જ્યારે બીજો બનાવ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ માટેલ રોડ સનસાઇન સીરામીક નજીક રહેતા અને ત્યાં મજૂરીકામ કરતા કુંદનકુમાર રાજકુમાર નામના ૨૩ વર્ષીય મજુર યુવાનની સાથે બન્યો હતો જેમા યુનિટીની અંદર કામ દરમિયાન ઇલેક્ટ્રિક શોટ લાગતા તેનું ગત શનિવારના રોજ મોત નીપજયું હતું બનાવને પગલે તેના ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણાએ નોંધ કરીને પ્રારંભિક તપાસ કરીને બનાવ વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદમાં હોય વાંકાનેર પોલીસને બનાવ અંગે જાણ કરી હોવાનું પોલીસ સુત્રો દ્રારા જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદના રહેવાથી અનસોયાબેન કરશનભાઈ પિત્રોળા નામના ૬૬ વર્ષીય મહિલા બાઈકના પાછળના ભાગે બેસીને ટીકર જતા હતા ત્યારે અમરાપર ગામ નજીક તેઓના બાઇકની આડે શ્વાન ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઇજાગ્રસ્ત અનસોયાબેનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક નર્મદાની કેનાલ પાસે અસ્થિર મગજનો યુવાન બેભાન હાલતમાં મળી આવ્યો હોય ૧૦૮ વડે તેને સારવાર માટે અહિંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જેને પગલે તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણીએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.

મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠા માળીયા ફાટક નજીક આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા ઝરીનાબેન આમીનભાઈ મોવર જાતે મિંયાણા નામની ૩૦ વર્ષીય મહિલાએ તેના ઘેર કોઈ કારણોસર એસીડ પી લેતા તેણીને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જેથી બનાવની જાણ થતાં હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ નોંધ કરીને તપાસ હાથ ધરતા મહીલાએ ભૂલથી એસીડ પી લીધુ હોવાનું ખુલ્યું હતું.






Latest News