મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલમાં પૂરમાં તણાતી વાછળીને બચાવવા જતાં ડૂબી ગયેલા યુવાનના પરિવારને ૬.૩૦ લાખની આર્થિક સહાય


SHARE













વાંકાનેરના માટેલમાં પૂરમાં તણાતી વાછળીને બચાવવા જતાં ડૂબી ગયેલા યુવાનના પરિવારને ૬.૩૦ લાખની આર્થિક સહાય

મોરબી જિલ્લાના માટેલમાં ભારે વરસાદના કારણે પૂર આવેલ તેમાં એક વાછળી તણાતી હતી ત્યારે માટેલ ગામના ભરતભાઈ વિઝવાડિયા દ્વારા પળભરનો વિચાર કર્યા વગર ધસમસતા પ્રવાહમાં વાછળીને બચાવવા માટે ઝંપલાવવામાં આવ્યું હતું ત્યારે કમનસીબે કુશળ તરવૈયા હોવા છતાં તે પાણીમાં કોઈ ઇજા થવાથી પૂરના પ્રવાહમાં તણાઈ ગયેલ હતા અને બે દિવસ બાદ તેમનો મૃતદેહ મળેલો હતો અને આ બનાવથી ભરતભાઇના પાંચ સંતાનો નોંધારા બન્યા હતા જેથી મોરબી જિલ્લાના ગૌ સેવકોએ તેના પરિવારને આર્થિક મદદ કરવા ફાળો કરવાનું નક્કી કર્યું હતું અને મોરબી, હળવદ, વાંકાનેર, રાજકોટમાં ફાળો ઉઘરાવવામાં આવેલ હતો જેમાં કુલ ૬.૩૦ લાખ રૂપિયા એકત્રિત થયા હતા જે ખોડીયાર મંદિર માટેલ ધામ ખાતે મંદિરના મહંત ખોડુબાપુની હાજરીમાં ભરતભાઈના પાંચેય સંતાનોને અર્પણ કરવામાં  આવેલ છે ત્યારે વાંકાનેર અંધ અપંગ ગૌ આશ્રમના પ્રમુખ મુન્નાભાઈ, હળવદના સામજિક કાર્યકરને રાજકીય અગ્રણી તપનભાઇ દવે, મોરબીથી પરેશભાઈ કાનાબાર, પ્રજ્ઞેશભાઇ ચતવાણી, તુષારભાઈ દફતરી અને સતીશભાઈ કાનાબાર ઉપસ્થિત રહેલા હતા ત્યારે માટેલના આગેવાનો અને સરપંચ મુન્નાભાઈએ ખાસ ઉપસ્થિત રહેલા ગૌ સેવકો અને દાન આપનાર તમામ દાતાનો અંતકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો






Latest News