મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના કારખાનામાંથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ


SHARE













મોરબીના કારખાનામાંથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સિરામિક કારખાનામાં રોજગારી માટે આવેલા પરિવારની સગીર વયની દિકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને સગીરાના પરિવારજન દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી અપહરણ, પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો જેની તપાસ દરમિયાન હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને સગીરાને પણ હસ્તગત કરી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે

મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલ સિરામિક ઉદ્યોગમાં રોજગારી મેળવવા માટે ગુજરાતના જુદા જુદા જીલ્લાઓમાંથી તેમજ પરપ્રાંતમાંથી ઘણા પરિવારો આવતા હોય છે તેવી જ રીતે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક પરિવાર મોરબી નજીક આવેલ સિરામિક કારખાનામાં રોજગારી માટે આવ્યો હતો દરમિયાન તેની સગીર વયની દિકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને સગીરાના પરિવારજન દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે તપાસ કરીને ચાર દિવસમાં આરોપી ભાવેશભાઈ રત્નાભાઇ સોલંકી જાતે કોળી (ઉંમર ૨૧) રહે મૂળ વિછીયા તાલુકાના દડલી ગામ વાળાની ધરપકડ કરેલ છે અને સગીરાને પણ કબજામાં લઈને મેડિકલ તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે

વાહન અકસ્માતમાં ઈજા

ટંકારાના ઘુનડા ગામના રહેવાસી દેવરાજભાઈ ટપુભાઈ કરોગા નામના ૬૮ વર્ષીય વૃદ્ધને ટંકારા-લતીપર રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જવાના બનાવમાં ઇજાઓ થતા દેવરાજભાઈને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.જ્યારે મોરબી તાલુકાના ખેરડા ગામે રહેતા મનિષાબેન ગણેશભાઈ સોલંકી નામની ૩૫ વર્ષીય મહિલા વધુ પડતી કેલ્શિયમની ગોળીઓ એકીસાથે ખાઇ જતાં તેણીને અસર થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા તેઓનો લગ્નગાળો ૧૬ વર્ષનો હોય હાલમાં તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીના ઇજા

મોરબીના જૂના ખારચીયા ગામે રહેતા ભરતભાઈ કાળુભાઇ રાઠોડ નામના ૨૫ વર્ષીય યુવાનને ગામમાં મારામારીના બનાવમાં ઇજાઓ થતાં હાલમાં તાલુકા પોલીસ મથકના ઈશ્વરભાઈ કલોત્રાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા કેશવજીભાઇ કરસનભાઈ સોલંકી નામના પચાસ વર્ષેીય આધેડને વાંકાનેર હાઇવે ઉપરના લાલપર ગામે કોઈ બાબતે મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેઓને પણ સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા જેથી હાલમાં તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણીએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News