મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના લાલપર પાસે જીનમાં ટાંકો રાખવાની ના પાડતાં ચોકીદારને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE







વાંકાનેરના લાલપર પાસે જીનમાં ટાંકો રાખવાની ના પાડતાં ચોકીદારને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાના લાલપર ગામ પાસે આવેલ જીનમાં ટાંકો રાખવાની ના પાડતાં ચોકીદારને ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજાગ્રસ્તને સારવાર આવ્યો હતો અને બાદમાં તેને ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામની સીમમાં જોધપર પાસે રહેતા અને ચોકીદાર તરીકે લાલપર ગામની સીમમાં આવેલ સોપાન કોટેક્ષ જીનની અંદર નોકરી જીવાભાઈ વશરામભાઈ મેર જાતે કોળી (ઉંમર વર્ષ ૪૩) ને ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે લાવ્યા હતા ત્યારબાદ તેઓએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ સોપાન કોટેક્ષ દીનમાં ચોકીદાર તરીકે કામ કરતા હતા ત્યારે આરોપી તેનો ટાંકો લઈને જીનમાં રાખવા માટે આવ્યા હતા ત્યારે તેઓએ જીનમાં ટાંકો રાખવાની ના કહી હતી જેથી કરીને આરોપી ઉશ્કેરાઇ ગયા હતા અને જીનમાં ટાંકો રાખવાની કેમ ના પાડે છે તેમ કહીને ગાળો આરી હતી ત્યારબાદ લાકડાના ધોકા વડે હાથે-પગે માર મારીને ફેક્ચર જેવી ઇજાઓ કરી હતી અને ફરિયાદી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને તેને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને પુષ્પરાજસિંહ વાળા, ગીરીરાજસિંહો વાળા અને અન્ય એક શખ્સ એમ કુલ મળીને ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”






Latest News