મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવનનું હાર્ટ એટેકથી મોત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના બેલા નજીક આવેલ રિવાઇન્ડિંગની દુકાનમાંથી અંદાજે બે લાખના મુદામાલની ચોરી વાંકાનેરના વઘાસીયા ટોલનાકે બુમ બેરીયર તોડીને બોલેરોનો ચાલક વાહન લઈને નીકળી ગયો !: સ્ટાફ ઉપર કર્યો હુમલો મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસના પટાંગણમાં સિરામિક ઉદ્યોગકારો રામધૂન બોલાવીને કર્યા સૂત્રોચ્ચાર: યુદ્ધવિરામ થતા ગેસની ભાવ ઘટાડીને સામાન ભાવે ગેસ આપવાની કરી માંગ ભાજપને જટકો, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી પાલિકા સંચાલિત નંદીઘરમાં અબોલજીવ માટે પાણી, છાંયો વિગેરે વ્યવસ્થા ઊભી કરો: કાંતિભાઈ અમૃતિયા


SHARE











મોરબી પાલિકા સંચાલિત નંદીઘરમાં અબોલજીવ માટે પાણી, છાંયો વિગેરે વ્યવસ્થા ઊભી કરો: કાંતિભાઈ અમૃતિયા

મોરબી શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટી વિસ્તારમાં રખડતાં ઢોરની સમસ્યા નિવારવા મોરબી નગરપાલિકા નંદી ઘર બનાવવામાં આવેલ છે અને મોરબીના પંચાસર રોડ પર નંદી ઘર બનાવવામાં આવ્યું છે ત્યારે રખડતા ઢોર પકડીને રાખવામાં આવે છે જો કે, અપૂરતી સુવિધાને લઇને ગૌવંશના સંખ્યાબંધ મૃત્યુ થયા હોવાની માહિતી  સામે આવી રહી છે ત્યારે નદી ઘરમાં અત્યંત જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માજી ધારાસભ્ય દ્વારા કલેક્ટર તેમજ પાલિકાના અધિકારી અને પદાધિકારીને સૂચન કરવામાં આવેલ છે

મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કલેક્ટર, પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિતમાં પંચાસર રોડ પર નંદી ઘર બનાવવામાં આવ્યું છે તેના માટે કેટલાક સૂચન કરવામાં આવેલ છે જેમાં નંદીને પીવાના પાણીની સમસ્યા નિવારવા ૮ અવેડા બનાવવામાં આવેલ છે જે વધારવાની જરૂર છે અને તે ૨૪ કલાક ભરેલા રાખવા જોઈએ અને પાણીની તુર્તજ વ્યવસ્થા કરવામાં આવે તે અનિવાર્ય છે તેમજ હાલમાં મંડપ સર્વિસ દ્વારા ત્યાં અબોલ જીવ માટે છાંયડો કરવામાં આવે, સારી ક્વોલિટીની તાલપત્રીનો છાયડો કરવો જોઈએ, અંદાજે ત્રણ મહિનામાં વર્ષા ઋતુનો પ્રારંભ થશે ત્યારે નંદી માટે ઘાસની વ્યવસ્થા અગાઉથી કરવી જરૂરી છે જેથી ગોડાઉન બનાવવા માટે અત્યારથી જ આયોજન કરવું જરૂરી છે અને હાલમાં નંદીઓને સારસંભાળ માટે માત્ર છોકરી રાખવામાં આવેલ છે ત્યાં ઓછામાં ઓછા ૧૫ કર્મચારીઓ હોવા જોઈએ તેવું તેમણે જણાવ્યુ છે જો કે, પાલિકા દ્વારા આ સુવિધા કયારે ઊભી કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે






Latest News