ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની પીપળીયા ચોકડી અને દહીંસરા વચ્ચે બાઈકમાં જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત


SHARE













મોરબીની પીપળીયા ચોકડી અને દહીંસરા વચ્ચે બાઈકમાં જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પીપળીયા ચોકડીથી મોટા દહીંસરા જવાના રસ્તા ઉપરથી યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે તેના બાઈક આજે અચાનક જંગલી ભુંડ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને શરીરના ભાગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી મોટા દહીસરા ગામના યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રો તેમજ માળીયા મીંયાણા પોલીસ મથકના ભોજરાજસિંહ ઝાલા તરફથી જાણવા મળતી વિગતો મુજબ મોટા દહીંસરા ગામનો રહેવાસી અમિતભાઇ થોભણભાઈ કાવર નામનો ૨૯ વર્ષીય યુવાન પીપળીયા ચોકડી તરફ તાવાના કાર્યક્રમમાં આવ્યો હતો અને તાવાની પ્રસાદી લીધા બાદ તે જ્યારે પોતાના ઘર તરફ બાઇક લઇને જવા માટે નીકળ્યો હતો ત્યારે પીપળીયા ચોકડીથી મોટા દહીંસરા વચ્ચેના રસ્તે તેના બાઇકની આડે અચાનક જંગલી ભૂંડ આડુ ઉતરતાં તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું.જેથી શરીરના તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી ઘટના સ્થળે જ અમિતભાઈ કવરના આશાસ્પદ યુવાનનું મોત નીપજયું હતું જેને પગલે તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલે પીએમ માટે ખસેડયા હતા.જેથી એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ માળીયા પોલીસ મથકની હદમાં બનેલ હોય માળીયા પોલીસમાં જાણ કરવામાં આવતા મોટા દહિંસરા બીટ વિસ્તારના જમાદાર ભોજરાજસિંહ ઝાલાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે

વૃદ્ધ સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા પાસેની શાંતીવન સોસાયટીમાં રહેતા પુંજાભાઈ શામજીભાઈ ચાવડા નામના ૬૨ વર્ષીય વૃદ્ધ કામ ઉપરથી પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે તા.૬ ના સાંજના સાતેક વાગ્યે નવલખી હાઇવે ઉપરના રોકડીયા હનુમાન મંદિર પાસે તેમનું બાઇક સ્લીપ થઇ જતાં ડાબા હાથ તથા ડાબા પગના ભાગે ઇજાઓ થવાથી પુંજાભાઈ ચાવડાને અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ પાસે આવેલ ડેન્સ્ટા સીરામીક નામના કારખાનાના લેબર કવાટરમાં મારામારીનો બનાવ થતાં ઈજાગ્રસ્ત થયેલા મનોજભાઈ બાબુભાઈ માલી નામના ૩૦ વર્ષીય યુવાનને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.






Latest News