મોરબીના રવાપર ગામે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિત્તે રોપાનું વિતરણ કરાયું
વાંકાનેરના વિવેકાનંદ સર્કલથી પચ્ચીસ વારિયા સુધીનો રસ્તો બિસ્માર
SHARE








વાંકાનેરના વિવેકાનંદ સર્કલથી પચ્ચીસ વારિયા સુધીનો રસ્તો બિસ્માર
(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર શહેરનાં વિવેકાનંદ સર્કલથી પચ્ચીસ વારિયા તરફનાં માર્ગ પર ઠેર ઠેર કમ્મરતોડ ગાબડાં પડયાં હોય ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર હજારો વાહન ચાલકોની હાલાકી થઈ રહી છે.
વિવેકાનંદ સર્કલથી પચ્ચીસ વારિયા તરફનો માર્ગ રાજકોટને જોડતો મુખ્ય માર્ગ છે આ ઉપરાંત આ માર્ગ પરથી શાળા કોલેજનાં વિદ્યાર્થીઓની પણ અવર જવર રહેતી હોય આ માર્ગ પર સતત હજારો વાહનોની અવર જવર રહે છે ત્યારે માર્ગ પર ઠેર ઠેર કમ્મર તોડ ગાબડાં પડયાં હોય અકસ્માતનો ભય રહે છે ત્યારે જે કોઈ પણ તંત્રનાં કાર્યક્ષેત્રમાં આ માર્ગનું કામ આવતું હોય તેના દ્વારા આ માર્ગનું નવીનીકરણ કરવું અનિવાર્ય છે અને ચોમાસામાં હાલત વધુ કફોડી બને છે ત્યારે જર્જરિત માર્ગને જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલા રસ્તાનું નવીનીકરણ કરવાની માંગ ઉઠી રહી છે

