મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના વિવેકાનંદ સર્કલથી પચ્ચીસ વારિયા સુધીનો રસ્તો બિસ્માર


SHARE







વાંકાનેરના વિવેકાનંદ સર્કલથી પચ્ચીસ વારિયા સુધીનો રસ્તો બિસ્માર

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર શહેરનાં વિવેકાનંદ સર્કલથી પચ્ચીસ વારિયા તરફનાં માર્ગ પર ઠેર ઠેર કમ્મરતોડ ગાબડાં પડયાં હોય ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર હજારો વાહન ચાલકોની હાલાકી થઈ રહી છે.

વિવેકાનંદ સર્કલથી પચ્ચીસ વારિયા તરફનો માર્ગ રાજકોટને જોડતો મુખ્ય માર્ગ છે આ ઉપરાંત આ માર્ગ પરથી શાળા કોલેજનાં વિદ્યાર્થીઓની પણ અવર જવર રહેતી હોય આ માર્ગ પર સતત હજારો વાહનોની અવર જવર રહે છે ત્યારે માર્ગ પર ઠેર ઠેર કમ્મર તોડ ગાબડાં પડયાં હોય અકસ્માતનો ભય રહે છે ત્યારે જે કોઈ પણ તંત્રનાં કાર્યક્ષેત્રમાં આ માર્ગનું કામ આવતું હોય તેના દ્વારા આ  માર્ગનું નવીનીકરણ કરવું અનિવાર્ય છે અને ચોમાસામાં હાલત વધુ કફોડી બને છે ત્યારે જર્જરિત માર્ગને જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલા રસ્તાનું નવીનીકરણ કરવાની માંગ ઉઠી રહી છે






Latest News