મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદના નવા દેવળિયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી બે સગા ભાઇઓના મોત


SHARE







હળવદના નવા દેવળિયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી બે સગા ભાઇઓના મોત

 હળવદ તાલુકાના નવા દેવળિયા ગામે આવેલ વાડીમાં પાણીની કુંડી અંદર ડૂબી જવાના કારણે બે સગા માસૂમ ભાઇના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા જેથી તેના મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના નવા દેવળીયા ગામની સીમમાં ધર્મેન્દ્રસિંહ પ્રવીણસિંહ પરમારની વાડીએ રહેતા સરદારભાઈ માવડાના બે દીકરા અશોક (ઉંમર ૩) ને ઋષિ (ઉંમર ૫) વાડીએ હતા ત્યારે ત્યાં બનાવવામાં આવેલ પાણીની ટાંકીમાં અકસ્માતે બંને ડૂબી જતા તે બંને બાળકોના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા જેથી કરીને બાળકોના મૃતદેહને પીએમ માટે હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતથી મૃત્યુના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News