ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેર માર્કેટ યાર્ડમાં સત્તાનો આગામી મંગલવારે ફેંસલો


SHARE













વાંકાનેર માર્કેટ યાર્ડમાં સત્તાનો આગામી મંગલવારે ફેંસલો

સહકારી મંડળીઓ, મોરબીના જિલ્લા રજીસ્ટ્રાર ડી.વી.ગઢવીની અખબારી યાદીમાં જણાવાયા અનુસાર વાંકાનેર માર્કેટ યાર્ડની સામાન્ય ચૂંટણી જાહેર થયેલ હતી. ખેડૂત વિભાગ, વેપારી વિભાગ અને સહકારી ખરીદ-વેચાણ વિભાગનું મતદાન તારીખ ૧૧મી જાન્યુઆરી-૨૦૨૨ ના રોજ યોજાયેલ હતું. ખેડૂત વિભાગની મતદાર યાદી સામે નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ દાખલ થયેલ ત્રણ પીટીશનોના કારણે ખેડૂત વિભાગના તમામ મતપત્રોની મતગણતરી પૂર્ણ થયેલ ન હતી.

જો કે, વેપારી વિભાગ અને ખરીદ-વેચાણ વિભાગની તારીખ ૧૨મી જાન્યુઆરી-ર૦૨૨ ના મતગણતરી પૂર્ણ કરી પરીણામ જાહેર કરવામાં આવેલ હતું. તારીખ ૧૨મી એપ્રિલ-૨૦૨૨ ના રોજ નામદાર ગુજરાત હાઇકોર્ટ-અમદાવાદ દ્વારા ખેડૂત વિભાગની મતદાર યાદી સબંધે જે પીટીશનો દાખલ થયેલ તેમાં ઓરલ ઓર્ડર કરવામાં આવેલ છે. ખેડૂત વિભાગના મતગણતરી માટે બાકી રહેતા મતપત્રો પૈકી જે મતપત્રોની ગણતરી કરવાની થાય છે તેની મતગણના તારીખ ૧૯મી એપ્રિલ-૨૦૨૨ ના રોજ વાંકાનેર માર્કેટ યાર્ડના કાર્યાલય ખાતે સવારે ૯ વાગ્યે કરવામાં આવશે






Latest News