મોરબીમાં સેવાના ભેખધારી સ્વ. શીવાભાઈ ઓગણજાની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો
મોરબીના આંબેડકર ચોકમાં હનુમાન ચાલીસા-ભજન કિર્તનનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીના આંબેડકર ચોકમાં હનુમાન ચાલીસા-ભજન કિર્તનનો કાર્યક્રમ યોજાયો
મોરબીના આંબેડકર ચોકમાં સંત રોહિદાસજીની ઉપવસ્તીમાં હનુમાનજી જન્મોત્સવ નિમિતે હનુમાનજીના મંદિરે હનુમાન ચાલીસા તથા ભજન કિર્તનનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં સ્થાનિક રહેવાસી ભાઈઓ, બહેનો, બાળકો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબીના કાર્યકર્તાઓ હરિભાઈ સરડવા, મગનભાઈ રાઠોડ, દિનેશભાઇ વિડજા, પ્રેમજીભાઈ અઘારા, રમેશભાઈ આદ્રોજા, ચંદુભાઈ વડાવીયા ઉપસ્થિત રહયા હતા.આંબેડકર ઉપનગર કાર્યવાહ અલ્પેશભાઈ ગાંધી અને સહ સેવા પ્રમુખ વિનોદભાઈ શુકલ તેમજ હનુમાન ચાલીસા કેન્દ્રના સંયોજક દિનેશભાઇ રાઠોડના માર્ગદર્શનમાં આ કાર્યક્રમ યોજાયો હતો.