મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માંધાતા  ગ્રૂપ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નમાં જોડાવા માટે ફોર્મ સ્વીકારવાનું શરૂ


SHARE











વાંકાનેરમાં માંધાતા  ગ્રૂપ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નમાં જોડાવા માટે ફોર્મ સ્વીકારવાનું શરૂ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરમાં માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ૨૧ દીકરીઓના એક જ માંડવે લગ્ન કરવામાં આવશે જેના માટેના ફોર્મ ભરવાની કામગીરી હાલમાં શરૂ કરવામાં આવી છે અને આગામી તા.૫/૫ સુધી ફોર્મ સ્વીકારવા માટેની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યું છે અને વહેલા તે પહેલાના ધોરણે જેના ફોર્મ પહેલા આવેલા હશે તેના સ્વીકારી લેવામાં આવશે

વાંકાનેરના માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે આ સમૂહ લગ્ન આગામી તા.૨૧/૫ ને શનિવારના રોજ વૈશાખ વદ છઠના રોજ ભગવાન માંધાતા દેવ અને સંત શ્રી વેલનાથ બાપુના મંદિરના વિશાળ મેદાનમાં જાલી બસ સ્ટેન્ડ પાસે યોજાવાના છે જેના માટે તેને હાલમાં વાર કન્યાના ફોર્મ ભરવાનું ચાલુ કરવામાં આવ્યું છે અને તા. ૧૭/૪ થી લઈને તા ૫/૫ સુધી ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે અને ફોર્મ ભરવા માટે લગ્નગ્રંથીએ જોડાનાર યુવક-યુવતીના જન્મના જરૂરી આધાર પુરાવા, સરનામાં તેમજ તેઓની ઓળખના પૂરાવા સહિતની વિગતો સાથે ફોર્મ સાથે રજુ કરવાની રહેશે તેમજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવેલા છે જેમાં ખાસ કરીને વર અને કન્યા પક્ષ તરફથી લગ્ન સમૂહ લગ્નમાં જોડાવા માટે વાર અને કન્યા બંને પક્ષેથી ૧૧-૧૧ હજાર રૂપિયાની ફી નક્કી કરવામાં આવે છે અને કોઇ કારણોસર કોઈ યુગલના લગ્ન મોકૂફ રાખવાના થાય તો તેની ફીને ટ્રસ્ટમાં દાન તરીકે સ્વીકારવામાં આવશે તે પરત આપવામાં આવશે નહીં તેવો નિર્ણય કરવામાં આવ્યો છે તેની સાથોસાથ સમૂહલગ્નમાં જોડાનાર કન્યા પક્ષ તરફથી જ્ઞાતિના રિવાજ વગર કોઈપણ જાતની લેતી દેતી કરવાની નથી અને ચાંદલો કેહાથગરણા  કરવાની મનાઈ છે અને સમયસર લગ્ન વિધિ સંપન્ન થાય તે માટે સમૂહલગ્નમાં જોડાનાર દરેક પરિવારે ફટાકડા કે બેન્ડવાજા વગર સમૂહ લગ્નના સ્થળ સુધી સમયસર પહોંચી જવાનું રહેશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જીગ્નેશબેન મેર, રતિલાલભાઈ અણીયારીયા, ગંભીરભાઈ નાકીયા, ભગવાનજીભાઈ મેર, રમેશભાઈ ગણોદીયા, હસમુખભાઈ ભૂસંડીયા, શામજીભાઈ માંડાણી, ભરતભાઈ ડાભી, હનાભાઈ ડાભીમ વેરશીભાઈ માલકીયા, દેવશીભાઇ સાપરા અને હેમંતભાઈ ધરજીયા સહિતની ટીમે જહેમત ઉઠાવી રહી છે






Latest News