વાંકાનેરમાં માંધાતા ગ્રૂપ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નમાં જોડાવા માટે ફોર્મ સ્વીકારવાનું શરૂ
મોરબીમાં માલધારી સમાજ માટે વસાહતની જગ્યા ફાળવવા વડવાળા યુવા સંગઠને કરી મુખ્યમંત્રીને રજુઆત
SHARE
મોરબીમાં માલધારી સમાજ માટે વસાહતની જગ્યા ફાળવવા વડવાળા યુવા સંગઠને કરી મુખ્યમંત્રીને રજુઆત
સરકાર શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ કાયદો અમલી બનાવવા જઈ રહી છે ત્યારે માત્રને માત્ર પશુપાલનનો વ્યવસાય કરી જીવન નિર્વાહ કરતા માલધારીઓને હેરાન થવું પડે તેમ છે અને દૂધ ઉત્પાદનમાં પણ અસર પડે તેવી શક્યતા છે ત્યારે મોરબી શહેરમાં વસવાટ કરતા માલધારી પરિવારો માટે માલધારી વસાહતની જગ્યા ફાળવવાની વડવાળા યુવા સંગઠને મુખ્યમંત્રીને સમક્ષ માંગ કરેલ છે
વડવાળા યુવા સંગઠન મુખ્ય સંયોજક દેવેન રબારીએ મુખ્યમંત્રીને રજુઆત કરતા જણાવ્યું હતું કે, ઢોર નિયંત્રણ કાયદો પૂર્ણ રૂપથી અમલમાં આવે તે પૂર્વે જ મોરબી શહેર નજીક માલધારી વસાહત નિર્માણકરી શહેરીજનો અને બહોળા માલધારી સમાજના હિતમાં નિર્ણય કરવા માંગણી છે. જેમાં મોરબીમાં ૩૦૦૦ થી વધુ ભરવાડ, રબારી, ચારણ, આહીર સહિતના પરિવારો રબારીવાસ, વાવડી રોડ, વજેપર, કાલિકા પ્લોટ, વી.સી.પરા, વાંકાનેર દરવાજા, લીલાપર રોડ સહિતના અનેક વિસ્તારોમાં વસવાટ કરી રહ્યાં છે. અને અંદાજે ૩૦ હજાર જેટલા દુધાળા પશુઓ રાખી પશુપાલન થકી જીવન નિર્વાહ કરી રહ્યાં છે. પરંતું સરકારના નવા કાયદાને કારણે શહેરમાં વસવાટ કરતા સર્વે માલધારી સમાજની રોજી-રોટી અને પરંપરાગત વ્યવસાય ઉપર પ્રશ્નાર્થ ઉભો થવાની શકયતા છે. જેથી મોરબીમાં સત્વરે શહેરની નજીકના સ્થળે જયાં પશુ નિભાવ માટે યોગ્ય જલસ્રોત હોય તેવા સ્થળની પસંદગી કરી માલધારી સમાજ તેમજ શહેરી વિસ્તારના લોકોને સ્પર્શતા પશુઓના પ્રશ્નોનું નિરાકરણ કરવા માંગ કરી છે