મોરબીમાં રામકથા દરમ્યાન ત્રણ શહીદોના પરિવારજનોને એક-એક લાખના ચેક અર્પણ કરાયા
SHARE
મોરબીમાં રામકથા દરમ્યાન ત્રણ શહીદોના પરિવારજનોને એક-એક લાખના ચેક અર્પણ કરાયા
મોરબીના બેલા ગામે આવેલા ખોખરા હનુમાનજી હરીહરધામ ખાતે આયોજીત શ્રી રામકથામાં ભારત સરકારના કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય, વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય, મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારીયા અને વિનોદભાઈ ચાવડા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, ભારત સાધુ સમાજના અધ્યક્ષ મુક્તાનંદ બાપુ, મહામંડલેશ્વર માઁ કનકેશ્વરીજીના હસ્તે કથા દરમ્યાન ત્રણ સહીદોના પરિવારોને ફુલ નહી તો ફુલની પાંખડી સ્વરૂપે એક-એક લાખના ચેક આપવામાં આવ્યા હતા.જેમા શહીદ રઘુભાઇ રૈયાભાઈ (ચોટીલા), શહીદ ભગવાનભાઇ ડાભી (રામપરા-વઢવાણ) અને શહીદ કરણસિંહ ધીરૂભા ડાભી (મૂળી) ના પરિવારજનોને 'સેવા એ જ સંપત્તિ' ફાઉન્ડેશન દ્વારા ૧-૧ લાખના ચેક આપીને આપવામાં આવ્યા હતા.