મોરબીમાં નીલકંઠ વિદ્યાલય દ્વારા પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત સાયક્લોથોન યોજાઈ
દિકરી વ્હાલનો દરીયો : હળવદના શિક્ષક દંપતિએ દીકરીના જન્મદિવસે શાળાને ૧.૭૫ લાખના ચાર સ્માર્ટ ટીવી ભેટમાં આપ્યા
SHARE
દિકરી વ્હાલનો દરીયો : હળવદના શિક્ષક દંપતિએ દીકરીના જન્મદિવસે શાળાને ૧.૭૫ લાખના ચાર સ્માર્ટ ટીવી ભેટમાં આપ્યા
હળવદના રાયધ્રા ગામે નોકરી કરતા શિક્ષક દંપતીએ પોતાની દીકરીના જન્મદિવસને લઈને પોતાની શાળામાં અંદાજે રૂા.૧.૭૫ લાખની કિંમતના ચાર સ્માર્ટ એલઇડી ટીવી તેમજ શૈક્ષણીક સોફટવેર ભેટ સ્વરૂપે આપ્યા હતા. દુનિયાનું સૌથી મોટું કોઈ દાન હોય તો એ છે કન્યાદાન અને ત્યારબાદ આવે છે ગૌ દાન તે રીતે જ જ્ઞાન દાનનું પણ ખૂબ મહત્વ રહેલુ છે અને તે માટે જ આજના ટેક્નિકલ યુગમાં ગામડાના બાળકો પણ ટેકનિકલ જમાનામાં તાલ મિલાવીને આગળ વધી શકે તે હેતુથી હળવદની રાયધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક દંપતીએ પોતાની દીકરીના જન્મદિવસ નિમિત્તે પોતાની શાળાને રૂપિયા પોણા બે લાખની કિંમતના ચાર સ્માર્ટ ઍલીડી ટીવી તથા શૈક્ષણીક સોફ્ટવેર કીટ સાથે સ્માર્ટ અભ્યાસ રૂમ ભેટમાં આપ્યા હતા.
આજના આ ટેક્નિકલ યુગમાં પૈસાદાર લોકોના બાળકોમાં જ ટેક્નોલોજીયુકત શિક્ષણ મળતું હોય છે એવા સમયે હળવદના રાયધ્રા ગામે સરકારી શાળામાં નોકરી કરતા શિક્ષક દંપતી જીગરભાઈ વરમોરા અને એમના ધર્મપત્ની સુધાબેને તેમના દિકરી કાયરાના જન્મદિવસ નિમિતે ઉપરોકત ઉમદા કાર્ય કર્યુ હતુ.તેમની ગરીબ બાળકો પ્રત્યેની લાગણી જોઈને તેમને ધન્યવાદ આપવાનું મન થાય તેવું કામ તેઓએ કર્યું છે તેમની સાથે વાત કરતા જીગરભાઇએ જણાવ્યુ હતુ કે સરકાર દ્વારા ધોરણ ૭-૮ માં જ્ઞાનકુંજ નામના પ્રોજેક્ટથી શિક્ષણ અપાય છે પણ જો આ જ શિક્ષણ પાયામાંથી બાળકોને મળે તો તેમાં વધારે સફળતા મળે બસ આ જ વિચારથી પ્રેરાઇને તેઓએ આ નિર્યણ કર્યો હતો અને નીચેના વર્ગોમાં આ સ્માર્ટ વર્ક મળે તે માટે સ્માર્ટકલાસનું દાન આપવાનું વિચાર્યું અને શ્રી રાયધ્રા પ્રાથમિક શાળામાં વરમોરા શિક્ષક દંપતિ દ્વારા અંદાજિત ૧.૭૫ લાખના આર્થિક સહયોગ થકી સરકારી શાળાના બાળકોને આ સ્માર્ટકલાસનો લાભ મળશે.દિકરી કાયરાને વ્હાલનો દરીયો ગણી તેના જન્મદિવસ નિમિતે તેઓએ સાર્થક ઉજવણી કરી હતી.