વાંકાનેરના રાતાવિરડા પાસે ટ્રકના છાંયામાં બેઠેલ વૃદ્ધા ઉપર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જતાં ઘટના સ્થળે જ મોત
SHARE
વાંકાનેરના રાતાવિરડા પાસે ટ્રકના છાંયામાં બેઠેલ વૃદ્ધા ઉપર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જતાં ઘટના સ્થળે જ મોત
વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ તરફ જવાના રસ્તા ઉપર રોડ સાઈડમાં પાર્ક કરી મૂકવામાં આવેલ ટ્રક પાસે છાંયામાં મહિલા બેઠી હતી ત્યારે ટ્રક ચાલકે આગળ જોયા વગર ટ્રકને ચલાવતા આગળ બેઠેલા મહિલા ઉપર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળ્યા હતા જેથી કરીને કમર અને શરીરે ગંભીર ઈજા પામેલ મહિલાનું મોત નીપજયું હતું અને હાલમાં મૃતક મહિલાના દીકરાએ ટ્રક ચાલકની સામે ફરીયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે રાતાવિરડા ગામ તરફ જવાના રસ્તા ઉપર રોડ સાઈડમાં પાર્ક કરેલ ટ્રકમાંથી નંબર જીજે ૩૬ ટી ૫૮૮૭ ના છાયામાં પપીબેન ઉર્ફે ગંગાબેન સમજૂનાથ રાઠોડ જાતે મદારી (ઉંમર ૭૦) બેઠા હતા ત્યારે ટ્રક ચાલકે આગળ જોયા વગર પોતાના ટ્રકને ચલાવ્યો હતો જેથી કરીને ટ્રકની આગળના ભાગમાં છાયામાં બેઠેલ પપીબેન ઉપર ટ્રકના વ્હીલ ફરી ગયા હોય તેને કમરના ભાગે અને શરીરમાં ગંભીર ઇજાઓ થઇ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જેથી હાલમાં મૃતક મહિલાના દીકરા ધીરૂનાથ સમજૂનાથ રાઠોડ (ઉંમર ૪૨) રહે. મકનસર મદારીવાસ વાળાએ ટ્રકચાલકની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.