મોરબી જીલ્લામાં પી.એમ.કિશાન યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા લાભ આપવામાં આવશે
મોરબીમાં સનસીટીના ગ્રાઉન્ડ યોજાશે હનુમાન ચાલીસા કથા: હરિપ્રકાશદાસજી સ્વામી કરાવશે કથાનું રસપાન
SHARE
મોરબીમાં સનસીટીના ગ્રાઉન્ડ યોજાશે હનુમાન ચાલીસા કથા: હરિપ્રકાશદાસજી સ્વામી કરાવશે કથાનું રસપાન
મોરબીમાં રવાપર-ધનુડા રોડ પર આવેલા સનસીટી ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કથા તા ૨૬ થી શરૂ થવાની છે અને દરરોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ કલાક સુધી કથા ચાલુ રહેશે અને સાળંગપુરધામના હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) સંગીતમય શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે.
મોરબીમાં આવેલ સનસીટી ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા ભાવિ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથા તા ૨૬ થી શરૂ થશે તા ૩૦ ના રોજ રાતે ૯ કલાકે અન્નકૂટ ઉત્સવ યોજાશે અને ૧૦:૩૦ કલાકે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવશે. ત્યારે હનુમાનજીને ૫૧ કિલોની કેક ધરવામાં આવશે. અને ૧૦૮ કિલો પુષ્પવર્ષા કરવામાં આવશે તા ૨૮ ના રોજ કથા સ્થળે ૮ થી ૧૦ બે કલાક સુધી બ્લડ ડોનેશન કેમ્પ અને તા ૨ મે ના રોજ રાતે ૧૧:૩૦ કલાકે કથાની પૂર્ણાહુતિ થશે. અને હનુમાન ચાલીસા કથાનું લાઈવ પ્રસારણ પણ ટીવીમાં બતાવવામાં આવશે