મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસિયા ગામે રહેતી પરિણીતા ઘરેથી નીકળ્યા બાદ ગુમ


SHARE









વાંકાનેરના પંચાસિયા ગામે રહેતી પરિણીતા ઘરેથી નીકળ્યા બાદ ગુમ

વાંકાનેરના પંચાસિયા ગામે રહેતી પરિણીતા પોતાના ઘરેથી વાંકાનેર પાલિકા કચેરીએ જવા માટે નીકળ્યા બાદ ઘરે પરત આવેલ નથી જેથી હાલમાં તેના પિતાએ દીકરી ગુમ થઈ હોવા અંગેની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમશૂધા નોંધી કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા દેવરાજભાઈ બધાભાઈ કુંઢીયા જાતે દેવીપુજક (ઉંમર ૫૦) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરી સંગીતા ઉર્ફે રાધા નિતેશભાઇ દેલવાણીયા જાતે દેવીપુજક (ઉંમર ૨૮) ગુમ થઈ હોવા અંગેની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા.૬/૪/૨૦૨૨ ના રોજ સવારે દસેક વાગ્યાના અરસામાં તેની દીકરી તેઓના ઘરેથી પોતાની દીકરી પૂજાના જન્મના દાખલામા સુધારો કરાવવા માટે વાંકાનેર નગરપાલિકા કચેરીએ જવા માટે નીકળી હતી ત્યારબાદ તે ઘરે પરત આવેલ નથી જેથી કરીને સંગીતાબેન ગુમ થયા હોવા અંગેની તેના પિતા દેવરાજભાઈની ફરિયાદ લઈને પોલીસે પરિણીતાની શોધવા માટે તેને કવાયત શરૂ કરેલ છે

યુવતી ગુમ

મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં ત્રિલોકધામ મંદિરની સામેના ભાગમાં રહેતા ભીખાભાઇ અવચરભાઇ થરેસા જાતે કોળી (ઉ.૫૨)ની દીકરી સેજલબેન (ઉંમર ૧૯) તા. ૨૧/૪ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કોઈને કશું કહ્યા વગર નીકળ્યા બાદ ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં ભીખાભાઈ થરેશાએ દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ આપતા પોલીસે ગુમ શુધા નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે 






Latest News