મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસિયા ગામે રહેતી પરિણીતા ઘરેથી નીકળ્યા બાદ ગુમ


SHARE













વાંકાનેરના પંચાસિયા ગામે રહેતી પરિણીતા ઘરેથી નીકળ્યા બાદ ગુમ

વાંકાનેરના પંચાસિયા ગામે રહેતી પરિણીતા પોતાના ઘરેથી વાંકાનેર પાલિકા કચેરીએ જવા માટે નીકળ્યા બાદ ઘરે પરત આવેલ નથી જેથી હાલમાં તેના પિતાએ દીકરી ગુમ થઈ હોવા અંગેની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમશૂધા નોંધી કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા દેવરાજભાઈ બધાભાઈ કુંઢીયા જાતે દેવીપુજક (ઉંમર ૫૦) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરી સંગીતા ઉર્ફે રાધા નિતેશભાઇ દેલવાણીયા જાતે દેવીપુજક (ઉંમર ૨૮) ગુમ થઈ હોવા અંગેની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા.૬/૪/૨૦૨૨ ના રોજ સવારે દસેક વાગ્યાના અરસામાં તેની દીકરી તેઓના ઘરેથી પોતાની દીકરી પૂજાના જન્મના દાખલામા સુધારો કરાવવા માટે વાંકાનેર નગરપાલિકા કચેરીએ જવા માટે નીકળી હતી ત્યારબાદ તે ઘરે પરત આવેલ નથી જેથી કરીને સંગીતાબેન ગુમ થયા હોવા અંગેની તેના પિતા દેવરાજભાઈની ફરિયાદ લઈને પોલીસે પરિણીતાની શોધવા માટે તેને કવાયત શરૂ કરેલ છે

યુવતી ગુમ

મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં ત્રિલોકધામ મંદિરની સામેના ભાગમાં રહેતા ભીખાભાઇ અવચરભાઇ થરેસા જાતે કોળી (ઉ.૫૨)ની દીકરી સેજલબેન (ઉંમર ૧૯) તા. ૨૧/૪ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કોઈને કશું કહ્યા વગર નીકળ્યા બાદ ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં ભીખાભાઈ થરેશાએ દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ આપતા પોલીસે ગુમ શુધા નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે 




Latest News