મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં તા.૨૬ ના શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે


SHARE













મોરબીમાં તા.૨૬ ના શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે

વૈશ્વાનર વિભુ જગદગુરુ શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી ૫૪૫ મો પ્રાગટ્ય મહોત્સવ ચૈત્ર વદી અગિયારસને મંગળવાર તા.૨૬ મી એપ્રિલના રોજ ભારત અને વિશ્વના કરોડો વૈષ્ણવો હોંશભેર ઉજવશે.શ્રી મહાપ્રભુજીએ વિશ્વને વૈષ્ણવતાની દીક્ષા આપી બ્રહ્મ સાથે સંબંધ બંધાવી જગતને શ્રીકૃષ્ણ શરણં મમઃ નો અદભુત મંત્ર આપી વિશ્વને સેવા અને સ્મરણના પુષ્ટિપંથ પર વિહરતુ કર્યુ છે.પ્રતિવર્ષની પરંપરા અનુસાર મોરબીમાં શ્રી મહાપ્રભુજીના ૮૪ બેઠકજીમાંના એક મયુરપૂરી મોરબીના બેઠકજીમાં હષોલ્લાસપૂર્વક આ પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે.તે નિમિત્તે મોરબી મહાપ્રભુજીની બેઠક માં ઝારી ચરણસ્પર્શ સવારે ૭ વાગ્યાથી મધ્યાહન ૧ વાગ્યા સુધી થશે.જાગ્યાના દર્શન સવારે ૭ કલાકે, મંગળાદર્શન સવારે ૭:૩૦ કલાકે, શ્રીંગાર દર્શન સવારે ૮ કલાકે, રાજભોગ દર્શન બપોરે ૧ કલાકે, તિલક દર્શન તથા નંદ મહોત્સવ બપોરે ૩ કલાકે થશે, સાંજના દર્શન ૭ કલાક સુધી થશે તેમ જણાવીને બેઠકજીના ટ્રસ્ટી અને મોરબી વૈષ્ણવ સમાજના મુખ્યાજી અતુલભાઈ ભટ્ટે વૈષ્ણવ સમાજને મહોત્સવમાં જોડાવા અનુરોધ કરેલ છે.








Latest News