માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા પાસે પોલીમર્સના કારખાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત


SHARE

















મોરબીના બગથળા પાસે પોલીમર્સના કારખાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત

મોરબી નજીક બગથળા ગામ પાસે આવેલ પોલીમર્સના કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં જ મજુરી કામ કરતા યુવાને પોતાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને યુવાને કયાં કારણોસર આપઘાત કરે છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ઉચાડ ગામના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના બગથળા ગામ પાસે આવેલ સાઇન પોલીમર્સ નામના કારખાનાની અંદર લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતાં અનિલભાઈ મથુરભાઈ ભીલ જાતે આદિવાસી (ઉંમર ૨૬)એ પોતાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને મૃતકની પત્ની અશમિતાબેન અનિલભાઈ ભીલે જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને યુવાને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે




Latest News