માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો. દ્વારા શિક્ષકોની જૂની પેન્શન યોજના શરૂ કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE

















મોરબી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો. દ્વારા શિક્ષકોની જૂની પેન્શન યોજના શરૂ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

છેલ્લા ઘણા સમયથી સરકારી શાળાના શિક્ષકો દ્વારા જુની પેન્શન યોજના ફરીથી શુરુ કરવાની માંગ કરવામાં આવી રહી છે જો કે, સરકાર દ્વારા હજુ તેઓની માંગણીને સંતોષવામાં આવી નથી ત્યારે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરીને શિક્ષકોની જુની પેન્શન યોજના ફરીથી શુરુ કરવાની તેમજ તેઓના પડતર પ્રશ્નોને ઉકેલવાની માંગ કરી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગુજરાત રાજ્યમાં સરકારી નોકરી કરતા શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના કામ સામે અન્ય ઘણા કામો સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે આ શિક્ષકોને પહેલા જે જૂની પેન્શન યોજના હતી તેનો લાભ સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ છે.  ત્યારે ૪૦ વર્ષની નોકરી બાદ વૃધા અવસ્થામાં આ શિક્ષકોને પોતાનું ગુજરાત ચલાવવામાં જૂની પેન્શન યોજના ખુબ જ આર્શીવાદ રૂપ હતી. અને રાજસ્થાન સરકાર દ્વારા પણ હમણા આ યોજના ફરીથી ચાલુ કરવામાં આવેલ છે. તો ગુજરાતમાં પણ આ યોજના ચાલુ કરવાની માંગણી કરેલ છે.આ ઉપરાંત શિક્ષકોના ફિક્સ પગાર સામે સુપ્રીમ કોર્ટનો કેસ પાછો ખેંચવો, પગાર પંચની ભલામણનો અમલ કરવો, મૂળ નિમણુક તારીખથી નોકરી સળંગ ગણવી, ઉચ્ચતર પગાર ધોરણોના લાભો આપવા વગેરે માંગણીનો સ્વીકાર કરીને શિક્ષકોને  ન્યાય કરવાની માંગ કરેલ છે




Latest News