જીવલેણ અકસ્માત પહેલા જાગશે ?: મોરબીમાં અનેક સ્થળે ગટરના ખુલ્લા કે તૂટેલા ઢાંકણા સુરતનું પુનરાવર્ત કરશે ! મોરબીમાં રોટરી કલબ દ્રારા એનિમિયા મુકત ભારત અભિયાન અંતર્ગત હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં આવેલ મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ગ્રુપ ઉપર આઇટી ના દરોડા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિ ટ્રાઈસિકલ ભેટ આપી ખેલમહાકુંભમાં ઇતિહાસ રચ્યો: ટંકારાના સજનપર ગામની શાળાના વિદ્યાર્થિઓની આર્ચરીમાં રાજ્ય કક્ષાએ પસંદગી મોરબી જીલ્લામાં જાહેરનામા ભંગના પાંચ આસામીઓ સામે ગુના નોંધાયા મોરબીના લીલાપર નજીક દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 40,300 ના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ ટંકારાના હરીપર (ભુ) ગામે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઝાડમાં ટુવાલ બાંધીને ગળાફાસો ખાઈને અજાણ્યા યુવાને કર્યો આપઘાત


SHARE













વાંકાનેરમાં ઝાડમાં ટુવાલ બાંધીને ગળાફાસો ખાઈને અજાણ્યા યુવાને કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર રાજા પેટ્રોલ પંપ પાછળ બાવળની ઝાડમાં ગળાફાસો ખાઈને અજાણ્યા ૪૦ વર્ષના યુવાને આપઘાત કરી લીધો હતો જે બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે અને તેના વાલીવારસોને શોધવા માટે થઈને વાંકાનેર સીટી પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના ચંદ્રપુર પાસે આવેલ રાજા પેટ્રોલ પંપ પાછળના ભાગમાંથી દુર્ગંધ આવતી હોય ત્યાં ચેક કરવામાં આવતા ત્યાં અજાણ્યા યુવાને ઝાડ સાથે ટુવાલ બાંધીને ગળાફાંસો ખાધેલી હાલતમાં તેની ડેડ બોડી મળી આવી હતી જેથી આ બનાવની વાંકાનેરના જીનપરા વિસ્તારની અંદર રહેતા દિનેશભાઇ ઝાલાભાઇ સિંધવ (ઉંમર ૨૨) એ વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળ ઉપર બાવળના ઝાડ સાથે ટુવાલ બાંધીને આપઘાત કરી લેનારા અંદાજે ૪૦ વર્ષના યુવાનના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારીને પીએમ માટે તેને વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વાંકાનેર સીટી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈ અને તેના પરિવારને શોધવા માટે તપાસ શરૂ કરી હતી 








Latest News