હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઝાડમાં ટુવાલ બાંધીને ગળાફાસો ખાઈને અજાણ્યા યુવાને કર્યો આપઘાત


SHARE

















વાંકાનેરમાં ઝાડમાં ટુવાલ બાંધીને ગળાફાસો ખાઈને અજાણ્યા યુવાને કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર રાજા પેટ્રોલ પંપ પાછળ બાવળની ઝાડમાં ગળાફાસો ખાઈને અજાણ્યા ૪૦ વર્ષના યુવાને આપઘાત કરી લીધો હતો જે બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે અને તેના વાલીવારસોને શોધવા માટે થઈને વાંકાનેર સીટી પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના ચંદ્રપુર પાસે આવેલ રાજા પેટ્રોલ પંપ પાછળના ભાગમાંથી દુર્ગંધ આવતી હોય ત્યાં ચેક કરવામાં આવતા ત્યાં અજાણ્યા યુવાને ઝાડ સાથે ટુવાલ બાંધીને ગળાફાંસો ખાધેલી હાલતમાં તેની ડેડ બોડી મળી આવી હતી જેથી આ બનાવની વાંકાનેરના જીનપરા વિસ્તારની અંદર રહેતા દિનેશભાઇ ઝાલાભાઇ સિંધવ (ઉંમર ૨૨) એ વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળ ઉપર બાવળના ઝાડ સાથે ટુવાલ બાંધીને આપઘાત કરી લેનારા અંદાજે ૪૦ વર્ષના યુવાનના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારીને પીએમ માટે તેને વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વાંકાનેર સીટી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈ અને તેના પરિવારને શોધવા માટે તપાસ શરૂ કરી હતી 




Latest News