મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઝાડમાં ટુવાલ બાંધીને ગળાફાસો ખાઈને અજાણ્યા યુવાને કર્યો આપઘાત


SHARE













વાંકાનેરમાં ઝાડમાં ટુવાલ બાંધીને ગળાફાસો ખાઈને અજાણ્યા યુવાને કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર રાજા પેટ્રોલ પંપ પાછળ બાવળની ઝાડમાં ગળાફાસો ખાઈને અજાણ્યા ૪૦ વર્ષના યુવાને આપઘાત કરી લીધો હતો જે બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે અને તેના વાલીવારસોને શોધવા માટે થઈને વાંકાનેર સીટી પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના ચંદ્રપુર પાસે આવેલ રાજા પેટ્રોલ પંપ પાછળના ભાગમાંથી દુર્ગંધ આવતી હોય ત્યાં ચેક કરવામાં આવતા ત્યાં અજાણ્યા યુવાને ઝાડ સાથે ટુવાલ બાંધીને ગળાફાંસો ખાધેલી હાલતમાં તેની ડેડ બોડી મળી આવી હતી જેથી આ બનાવની વાંકાનેરના જીનપરા વિસ્તારની અંદર રહેતા દિનેશભાઇ ઝાલાભાઇ સિંધવ (ઉંમર ૨૨) એ વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળ ઉપર બાવળના ઝાડ સાથે ટુવાલ બાંધીને આપઘાત કરી લેનારા અંદાજે ૪૦ વર્ષના યુવાનના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારીને પીએમ માટે તેને વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વાંકાનેર સીટી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈ અને તેના પરિવારને શોધવા માટે તપાસ શરૂ કરી હતી 






Latest News