મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું ભારે કરી: મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના ભરેલા 30 બાટલાની ચોરી મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃદ્ધને કમર-ગોળામાં ફ્રેકચર
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઝાડમાં ટુવાલ બાંધીને ગળાફાસો ખાઈને અજાણ્યા યુવાને કર્યો આપઘાત


SHARE









વાંકાનેરમાં ઝાડમાં ટુવાલ બાંધીને ગળાફાસો ખાઈને અજાણ્યા યુવાને કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર રાજા પેટ્રોલ પંપ પાછળ બાવળની ઝાડમાં ગળાફાસો ખાઈને અજાણ્યા ૪૦ વર્ષના યુવાને આપઘાત કરી લીધો હતો જે બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે અને તેના વાલીવારસોને શોધવા માટે થઈને વાંકાનેર સીટી પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના ચંદ્રપુર પાસે આવેલ રાજા પેટ્રોલ પંપ પાછળના ભાગમાંથી દુર્ગંધ આવતી હોય ત્યાં ચેક કરવામાં આવતા ત્યાં અજાણ્યા યુવાને ઝાડ સાથે ટુવાલ બાંધીને ગળાફાંસો ખાધેલી હાલતમાં તેની ડેડ બોડી મળી આવી હતી જેથી આ બનાવની વાંકાનેરના જીનપરા વિસ્તારની અંદર રહેતા દિનેશભાઇ ઝાલાભાઇ સિંધવ (ઉંમર ૨૨) એ વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળ ઉપર બાવળના ઝાડ સાથે ટુવાલ બાંધીને આપઘાત કરી લેનારા અંદાજે ૪૦ વર્ષના યુવાનના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારીને પીએમ માટે તેને વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વાંકાનેર સીટી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈ અને તેના પરિવારને શોધવા માટે તપાસ શરૂ કરી હતી 






Latest News