મોરબીની કપોરીવાડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો
SHARE









મોરબીની કપોરીવાડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો
મોરબી શહેરમાં આવેલ શ્રી કપોરીવાડી પ્રાથમિક શાળામાં ધો.૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ રાખવામા આવેલ હતો જેમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યા હતા. આ સાથે શાળાના ભૂતપૂર્વ આચાર્ય ધનજીભાઈ કાલરીયા તરફથી ધો. ૧ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓને ફુલ સ્કેપ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ તેના જુદા દિવસોને યાદ કર્યા હતા તેમજ શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ તેમજ જીવનમાં પ્રગતિ કરી શાળા અને પરિવારનું નામ રોશન કરવા માટે શુભાશિષ પાઠવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય સુનિલભાઈ જોશી તેમજ શાળાના તમામ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.
