મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીની પાટીદાર હિત રક્ષા સમિતિએ જેતલસરમાં દીકરીની હત્યા કરનાર આરોપીને સજા કરીને પરિવારને ન્યાય આપવા કરી માંગ


SHARE













મોરબીની પાટીદાર હિત રક્ષા સમિતિએ જેતલસરમાં દીકરીની હત્યા કરનાર આરોપીને સજા કરીને પરિવારને ન્યાય આપવા કરી માંગ

મોરબીની પાટીદાર હિત રક્ષા સમિતિએ રાજયના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને લેખીતમાં રજૂઆત કરીને જે રીતે સુરતની ગ્રીષ્માના હત્યારા ફેનીલને પકડીને ધાક બેસે તે માટે તાત્કાલીક પોલીસ તપાસ કરાવીને ચાર્જસીટ ફાઇલ કરીને કોર્ટ કાર્યવાહી બાદ આજે જયારે ગ્રીસ્માના હત્યારા ફેનીલને જે રીતે ફાંસીની સજા ફટકારવામાં આવેલ છે.તેવા જ ન્યાયની અપેક્ષા રાજકોટ જીલ્લાના જેતલસર ગામે સગીરાની કરાયેલ નિર્મમ હત્યાના કેસમાં કડક અને ઝડપી કાર્યવાહી કરવામાં આવવી જોઇએ તો જ આવી વિકૃત માનસીકતા ધરાવતા રોડછાપ રોમીયોની સાન ઠેકાણે આવશે.

આ રજૂઆતમાં પાટીદાર હીત રક્ષા સમિતિએ જણાવ્યું છેકે, સુરત કોર્ટ દ્રારા ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારી છે અને ગ્રીષ્માના પરિવારને જે રીતે ન્યાય મળ્યો છે આવા જ ન્યાયની અપેક્ષા ગત વર્ષે રાજકોટના જેતપુર(કાઠી) ના જેતલસર ગામની દીકરી સાથે બનેલ બનાવમાં ન્યાયની અપેક્ષા તેનો પરિવાર રાખી રહ્યો છે. જેતલસરની દીકરીની ઘરમાં ઘુસીને છરીના અનેક ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી.તેના પરિવારને પણ સુરતની માફક ઝડપથી ન્યાય મળે તે માટે પાટીદાર હિત રક્ષા સમિતિ ગુજરાત દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે અને ગ્રીષ્મા હત્યાકેસમાં જે રીતે ઝડુી કેસ ચલાવીને કોર્ટ દ્વારા દોષિત ફેનીલને ફાંસીની સજા ફટકારાઈ તે રીતે જ જેતલસરની દીકરીના પરિવારને પણ ઝડપથી ન્યાય મળે અને દીકરીને ઘરમાં ઘૂસીને ૫૦ જેટલા છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરનાર આરોપીને પણ ફાંસીની સજા થાય તો જ આવા ઇશ્કબાજોની સાન ઠેકાણે આવશે તેમ પાટીદાર હિત રક્ષા સમિતિ ગુજરાતે જણાવેલ છે.






Latest News