મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવનનું હાર્ટ એટેકથી મોત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના બેલા નજીક આવેલ રિવાઇન્ડિંગની દુકાનમાંથી અંદાજે બે લાખના મુદામાલની ચોરી વાંકાનેરના વઘાસીયા ટોલનાકે બુમ બેરીયર તોડીને બોલેરોનો ચાલક વાહન લઈને નીકળી ગયો !: સ્ટાફ ઉપર કર્યો હુમલો મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસના પટાંગણમાં સિરામિક ઉદ્યોગકારો રામધૂન બોલાવીને કર્યા સૂત્રોચ્ચાર: યુદ્ધવિરામ થતા ગેસની ભાવ ઘટાડીને સામાન ભાવે ગેસ આપવાની કરી માંગ ભાજપને જટકો, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની પાટીદાર હિત રક્ષા સમિતિએ જેતલસરમાં દીકરીની હત્યા કરનાર આરોપીને સજા કરીને પરિવારને ન્યાય આપવા કરી માંગ


SHARE











મોરબીની પાટીદાર હિત રક્ષા સમિતિએ જેતલસરમાં દીકરીની હત્યા કરનાર આરોપીને સજા કરીને પરિવારને ન્યાય આપવા કરી માંગ

મોરબીની પાટીદાર હિત રક્ષા સમિતિએ રાજયના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને લેખીતમાં રજૂઆત કરીને જે રીતે સુરતની ગ્રીષ્માના હત્યારા ફેનીલને પકડીને ધાક બેસે તે માટે તાત્કાલીક પોલીસ તપાસ કરાવીને ચાર્જસીટ ફાઇલ કરીને કોર્ટ કાર્યવાહી બાદ આજે જયારે ગ્રીસ્માના હત્યારા ફેનીલને જે રીતે ફાંસીની સજા ફટકારવામાં આવેલ છે.તેવા જ ન્યાયની અપેક્ષા રાજકોટ જીલ્લાના જેતલસર ગામે સગીરાની કરાયેલ નિર્મમ હત્યાના કેસમાં કડક અને ઝડપી કાર્યવાહી કરવામાં આવવી જોઇએ તો જ આવી વિકૃત માનસીકતા ધરાવતા રોડછાપ રોમીયોની સાન ઠેકાણે આવશે.

આ રજૂઆતમાં પાટીદાર હીત રક્ષા સમિતિએ જણાવ્યું છેકે, સુરત કોર્ટ દ્રારા ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારી છે અને ગ્રીષ્માના પરિવારને જે રીતે ન્યાય મળ્યો છે આવા જ ન્યાયની અપેક્ષા ગત વર્ષે રાજકોટના જેતપુર(કાઠી) ના જેતલસર ગામની દીકરી સાથે બનેલ બનાવમાં ન્યાયની અપેક્ષા તેનો પરિવાર રાખી રહ્યો છે. જેતલસરની દીકરીની ઘરમાં ઘુસીને છરીના અનેક ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી.તેના પરિવારને પણ સુરતની માફક ઝડપથી ન્યાય મળે તે માટે પાટીદાર હિત રક્ષા સમિતિ ગુજરાત દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે અને ગ્રીષ્મા હત્યાકેસમાં જે રીતે ઝડુી કેસ ચલાવીને કોર્ટ દ્વારા દોષિત ફેનીલને ફાંસીની સજા ફટકારાઈ તે રીતે જ જેતલસરની દીકરીના પરિવારને પણ ઝડપથી ન્યાય મળે અને દીકરીને ઘરમાં ઘૂસીને ૫૦ જેટલા છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરનાર આરોપીને પણ ફાંસીની સજા થાય તો જ આવા ઇશ્કબાજોની સાન ઠેકાણે આવશે તેમ પાટીદાર હિત રક્ષા સમિતિ ગુજરાતે જણાવેલ છે.






Latest News