મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીની પાટીદાર હિત રક્ષા સમિતિએ જેતલસરમાં દીકરીની હત્યા કરનાર આરોપીને સજા કરીને પરિવારને ન્યાય આપવા કરી માંગ


SHARE

















મોરબીની પાટીદાર હિત રક્ષા સમિતિએ જેતલસરમાં દીકરીની હત્યા કરનાર આરોપીને સજા કરીને પરિવારને ન્યાય આપવા કરી માંગ

મોરબીની પાટીદાર હિત રક્ષા સમિતિએ રાજયના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને લેખીતમાં રજૂઆત કરીને જે રીતે સુરતની ગ્રીષ્માના હત્યારા ફેનીલને પકડીને ધાક બેસે તે માટે તાત્કાલીક પોલીસ તપાસ કરાવીને ચાર્જસીટ ફાઇલ કરીને કોર્ટ કાર્યવાહી બાદ આજે જયારે ગ્રીસ્માના હત્યારા ફેનીલને જે રીતે ફાંસીની સજા ફટકારવામાં આવેલ છે.તેવા જ ન્યાયની અપેક્ષા રાજકોટ જીલ્લાના જેતલસર ગામે સગીરાની કરાયેલ નિર્મમ હત્યાના કેસમાં કડક અને ઝડપી કાર્યવાહી કરવામાં આવવી જોઇએ તો જ આવી વિકૃત માનસીકતા ધરાવતા રોડછાપ રોમીયોની સાન ઠેકાણે આવશે.

આ રજૂઆતમાં પાટીદાર હીત રક્ષા સમિતિએ જણાવ્યું છેકે, સુરત કોર્ટ દ્રારા ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારી છે અને ગ્રીષ્માના પરિવારને જે રીતે ન્યાય મળ્યો છે આવા જ ન્યાયની અપેક્ષા ગત વર્ષે રાજકોટના જેતપુર(કાઠી) ના જેતલસર ગામની દીકરી સાથે બનેલ બનાવમાં ન્યાયની અપેક્ષા તેનો પરિવાર રાખી રહ્યો છે. જેતલસરની દીકરીની ઘરમાં ઘુસીને છરીના અનેક ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી.તેના પરિવારને પણ સુરતની માફક ઝડપથી ન્યાય મળે તે માટે પાટીદાર હિત રક્ષા સમિતિ ગુજરાત દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે અને ગ્રીષ્મા હત્યાકેસમાં જે રીતે ઝડુી કેસ ચલાવીને કોર્ટ દ્વારા દોષિત ફેનીલને ફાંસીની સજા ફટકારાઈ તે રીતે જ જેતલસરની દીકરીના પરિવારને પણ ઝડપથી ન્યાય મળે અને દીકરીને ઘરમાં ઘૂસીને ૫૦ જેટલા છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરનાર આરોપીને પણ ફાંસીની સજા થાય તો જ આવા ઇશ્કબાજોની સાન ઠેકાણે આવશે તેમ પાટીદાર હિત રક્ષા સમિતિ ગુજરાતે જણાવેલ છે.




Latest News