વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃતકોને ચાર લાખની સરકારની જાહેરાત: મેરજા


SHARE









મોરબી નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃતકોને ચાર લાખની સરકારની જાહેરાત: મેરજા

મોરબીના માળીયા ઉપર ગોઝારો વાહન અકસ્માતના બનાવો બન્યો હતો જેમાં કચ્છમાં માતાજીનો હવનમાંથી લોહાણા પરિવાર પરત આવી રહ્યો હતો ત્યારે એક જ પરિવારના ચાર સભ્યો અને અન્ય એક એમ કુલ મળીને પાંચ વ્યકટીના મોત નિપજ્યાં છે ત્યારે તમામ મૃતકોના પરિવારજનોને ચાર ચાર લાખ અને ઇજા ગ્રસ્તોને ૫૦ હજાર આપવાની સરકારે જાહેરાત કરી છે તેવી મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યુ છે

કચ્છના કટારીયા ગામે રવેશિયા પરિવારનો માતાજીનો યજ્ઞ હોય તે નિમિતે રાજકોટ, મોરબી સહીતની જગ્યાએથી રવેસીયા પરિવારના લોકો કચ્છ ગયા હતા.જેમાં એડવોકેટ પિયુષભાઈ રવેસીયા તેમજ તેના બનેવીનો પરિવાર જુદીજુદી કારમાં ત્યાં ગયો હતો અને ત્યાથી તેના બનેવીની કારમાં પિયુષભાઈના માતા-પિતા તેમજ તેમના બેન-બનેવી અને ભાણેજ એમ પાંચ લોકો મોરબી પરત આવી રહ્યા હતા ત્યારે માળીયા હાઇવે ઉપરના રોટરીનગર ગામ પાસે તેઓના બનેવીના કારને અકસ્માત નડ્યો હતો જેમાં ચાર વ્યક્તિના મોત નિપજ્યાં છે તેમજ સામેના વાહનમાં બેઠેલા લોકોમાંથી એક વ્યક્તિ એમ કુલ મળીને પાંચ લોકોના મોત નિપજતા આ બનાવની તાત્કાલિક  સરકારને મંત્રી બ્રિજેશભાઇ મેરજા દ્વારા જાણ કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે લોહાણા પરિવારને સંતાવના પાઠવીને તમામ મૃતકોના પરિવારજનોને ચાર ચાર લાખ અને ઇજા ગ્રસ્તોને ૫૦ હજાર આપવાની જાહેરાત કરી છે તેવું મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યુ છે






Latest News