મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃતકોને ચાર લાખની સરકારની જાહેરાત: મેરજા


SHARE













મોરબી નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃતકોને ચાર લાખની સરકારની જાહેરાત: મેરજા

મોરબીના માળીયા ઉપર ગોઝારો વાહન અકસ્માતના બનાવો બન્યો હતો જેમાં કચ્છમાં માતાજીનો હવનમાંથી લોહાણા પરિવાર પરત આવી રહ્યો હતો ત્યારે એક જ પરિવારના ચાર સભ્યો અને અન્ય એક એમ કુલ મળીને પાંચ વ્યકટીના મોત નિપજ્યાં છે ત્યારે તમામ મૃતકોના પરિવારજનોને ચાર ચાર લાખ અને ઇજા ગ્રસ્તોને ૫૦ હજાર આપવાની સરકારે જાહેરાત કરી છે તેવી મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યુ છે

કચ્છના કટારીયા ગામે રવેશિયા પરિવારનો માતાજીનો યજ્ઞ હોય તે નિમિતે રાજકોટ, મોરબી સહીતની જગ્યાએથી રવેસીયા પરિવારના લોકો કચ્છ ગયા હતા.જેમાં એડવોકેટ પિયુષભાઈ રવેસીયા તેમજ તેના બનેવીનો પરિવાર જુદીજુદી કારમાં ત્યાં ગયો હતો અને ત્યાથી તેના બનેવીની કારમાં પિયુષભાઈના માતા-પિતા તેમજ તેમના બેન-બનેવી અને ભાણેજ એમ પાંચ લોકો મોરબી પરત આવી રહ્યા હતા ત્યારે માળીયા હાઇવે ઉપરના રોટરીનગર ગામ પાસે તેઓના બનેવીના કારને અકસ્માત નડ્યો હતો જેમાં ચાર વ્યક્તિના મોત નિપજ્યાં છે તેમજ સામેના વાહનમાં બેઠેલા લોકોમાંથી એક વ્યક્તિ એમ કુલ મળીને પાંચ લોકોના મોત નિપજતા આ બનાવની તાત્કાલિક  સરકારને મંત્રી બ્રિજેશભાઇ મેરજા દ્વારા જાણ કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે લોહાણા પરિવારને સંતાવના પાઠવીને તમામ મૃતકોના પરિવારજનોને ચાર ચાર લાખ અને ઇજા ગ્રસ્તોને ૫૦ હજાર આપવાની જાહેરાત કરી છે તેવું મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યુ છે




Latest News