મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃતકોને ચાર લાખની સરકારની જાહેરાત: મેરજા


SHARE

















મોરબી નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃતકોને ચાર લાખની સરકારની જાહેરાત: મેરજા

મોરબીના માળીયા ઉપર ગોઝારો વાહન અકસ્માતના બનાવો બન્યો હતો જેમાં કચ્છમાં માતાજીનો હવનમાંથી લોહાણા પરિવાર પરત આવી રહ્યો હતો ત્યારે એક જ પરિવારના ચાર સભ્યો અને અન્ય એક એમ કુલ મળીને પાંચ વ્યકટીના મોત નિપજ્યાં છે ત્યારે તમામ મૃતકોના પરિવારજનોને ચાર ચાર લાખ અને ઇજા ગ્રસ્તોને ૫૦ હજાર આપવાની સરકારે જાહેરાત કરી છે તેવી મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યુ છે

કચ્છના કટારીયા ગામે રવેશિયા પરિવારનો માતાજીનો યજ્ઞ હોય તે નિમિતે રાજકોટ, મોરબી સહીતની જગ્યાએથી રવેસીયા પરિવારના લોકો કચ્છ ગયા હતા.જેમાં એડવોકેટ પિયુષભાઈ રવેસીયા તેમજ તેના બનેવીનો પરિવાર જુદીજુદી કારમાં ત્યાં ગયો હતો અને ત્યાથી તેના બનેવીની કારમાં પિયુષભાઈના માતા-પિતા તેમજ તેમના બેન-બનેવી અને ભાણેજ એમ પાંચ લોકો મોરબી પરત આવી રહ્યા હતા ત્યારે માળીયા હાઇવે ઉપરના રોટરીનગર ગામ પાસે તેઓના બનેવીના કારને અકસ્માત નડ્યો હતો જેમાં ચાર વ્યક્તિના મોત નિપજ્યાં છે તેમજ સામેના વાહનમાં બેઠેલા લોકોમાંથી એક વ્યક્તિ એમ કુલ મળીને પાંચ લોકોના મોત નિપજતા આ બનાવની તાત્કાલિક  સરકારને મંત્રી બ્રિજેશભાઇ મેરજા દ્વારા જાણ કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે લોહાણા પરિવારને સંતાવના પાઠવીને તમામ મૃતકોના પરિવારજનોને ચાર ચાર લાખ અને ઇજા ગ્રસ્તોને ૫૦ હજાર આપવાની જાહેરાત કરી છે તેવું મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યુ છે




Latest News